ICMR એ કેન્દ્ર સરકારે સલાહ આપી છે કે પહેલા પ્રાઈમરી અને પછી સેકન્ડરી શાળાઓ શરુ કરી શકાય છે.
હવે થોડા સમયમાં દેશમાં ખુલી શકે છે શાળાઓ
ICMR એ કેન્દ્ર સરકારને આપી સલાહ
પહેલા પ્રાઈમરી અને પછી સેકન્ડરી શાળાઓ શરુ કરી શકાય
દેશમાં બાળકોના ઠપ્પ પડેલા શિક્ષણથી ચિંતિત લોકો હંમેશા સવાલ પૂછે છે કે આખરે શાળા ક્યારે ખુલશે? સવાલનો જવાબ આપતા આઈસીએમઆરના ડાયરેક્ટર ડનરલ ડો. બલરામ ભાર્ગવે મંગળવારે ગુડ ન્યૂઝ આપ્યા છે. તેમણે કહ્યું કે બાળકો કોરોના વિરુદ્ધ ખુબ મજબૂત છે અને તે વયસ્કોના મુકાબલે તેનો સામનો વધુ સારી રીતે કરી શકે છે. તેમણે કહ્યું કે, બાળકોનું એન્ટીબોડી એક્સપોઝર એટલું અને એવું છે જેવું વયસ્કોનું છે. તેમણે કહ્યું કે, સ્વીડન જેવા ઘમા સ્કૈડિનેવિયન દેશોએ તો કોરોનાની કોઈપણ લહેર દરમિયાન પ્રાઇમરી શાળા બંધ કરી નથી.
નાના બાળકોમાં ઇમ્યુનિટી વધુ સારી હોય છે- બલરામ ભાર્ગવ
તેમણે કહ્યું કે, કિશોરોના મુકાબલે નાના બાળકોમાં ઇમ્યુનિટી વધુ સારી હોય છે. બલરામ ભાર્ગવે કહ્યુ કે દેશમાં શાળાને જ્યારે પણ ખોલવાનો વિચાર કરવામાં આવે તો સૌથી સારૂ રહેશે કે પ્રાથમિક શાળાઓને પહેલા ખોલવામાં આવે. સેકેન્ડરી સ્કૂલોના મુકાબલે પ્રાઇમરી શાળાઓને પ્રાથમિકતા આપવામાં આવે. પરંતુ તેમણે કહ્યું કે, પ્રાથમિક શાળા ખોલતા પહેલા તે નક્કી કરવું પડશે કે શાળાના સ્ટાફનું વેક્સિનેશન થઈ જાય. ભાર્ગવે કહ્યુ કે, શાળાના બસના ડ્રાઇવર, શિક્ષકો સહિત બધા સ્ટાફને રસી લાગવી જોઈએ. ત્યારે શાળા ખોલવાની મંજૂરી મળવી જોઈએ.
6 થી 9 વર્ષના બાળકોમાં મોટા લોકો જેટલી જ એન્ટીબોડી હોય છે
ICMR ના ડીજી ડોક્ટર બલરામ ભાર્ગવે જણાવ્યું કે સીરો સર્વેમાં જોવાયું છે કે 6 થી 9 વર્ષના બાળકોમાં મોટા લોકો જેટલી જ એન્ટીબોડી હોય છે. યુરોપના ઘણા દેશોમાં પ્રાઈમરી શાળાઓ બંધ જ નહોતી કરાઈ. કોરોનાની કોઈ પણ લહેરમાં શાળાઓ બંધ કરાઈ નહોતી. તેથી અમારો અભિપ્રાય છે કે પહેલા પ્રાઈમરી સ્કૂલો ખોલવામાં આવે.
ICMRના ડાયરેક્ટર જનરલે કોરોનાના ખતરાને જોતા સામાજિક, રાજકીય અને ધાર્મિક કાર્યક્રમોમાં ભીડ ભેગી ન કરવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે દેશમાં હજુ સામાજિક, રાજકીય અને ધાર્મિક આયોજન ન કરવા જોઈએ. તો લોકોને ફરવા માટે પ્રોત્સાહિત ન કરવા જોઈએ. જરૂરી હોવા પર રસીકરણ બાદ યાત્રા કરવી જોઈએ. દેશમાં બધા હેલ્થ કેયર વર્કરોનું રસીકરણ થવું જરૂરી છે. આ સિવાય આપણે વૃદ્ધો, મહિલાઓ વગેરેના વેક્સિનેશનમાં તેજી લાવવી જોઈએ.
68 ટકા લોકોએ એન્ટીબોડી મેળવી લીધી-ડોક્ટર બલરામ ભાગર્વ
ઈન્ડીયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા જારી થયેલા ચોથા સીરો સર્વેમાં 67.6 ટકા લોકોએ એન્ટીબોડી મેળવી હોવાનો એટલે કે તેઓ કોરોના સંક્રમિત થયા હોવાનો ખુલાસો કરાયો છે. આ સર્વેમાં સામેલ 12, 607 લોકો એવા હતા જેમણે વેક્સિન લીધી નહોતી, 5,038 લોકોએ વેક્સિનનો એક ડોઝ લીધો હતો જ્યારે વેક્સિનની બન્ને ડોઝ લેનાર લોકોમાં 89.8 ટકા એન્ટીબોડી જોવા મળી હતી.
સર્વેમાં આ તથ્યો સામે આવ્યાં
- 6 થી 9 વર્ષના 57.2 ટકા અને 10 થી 17 વર્ષના 61.6 ટકા બાળકોમાં એન્ટીબોડી જોવા મળી.
- 18 થી 44 વર્ષના 66.7 ટકા, 45 થી 60 વર્ષના 77.6 ટકા અને 60 થી વધારે વયના 76.7 ટકા લોકોમાં એન્ટીબોડી જોવા મળી.
- સર્વેમાં સામેલ 69.2 ટકા મહિલાઓ તથા 65.8 ટકા પુરુષોમાં કોવિડની સામે એન્ટીબોડી મળી.
- શહેર વિસ્તારોમાં રહેનાર 69.6 ટકા અને ગ્રામીણ વિસ્તારોમા રહેતા 66.7 ટકા લોકોમાં એન્ટીબોડી જોવા મળી.