મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રવિવારે કહ્યું કે અચાનક લૉકડાઉન લાગૂ કરવુ ખોટુ હતું અને હવે તેને તાત્કાલિક ન હટાવી શકાય. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસ વધવાની સાથે ઉદ્ધવ ઠાકરેએ એમ પણ કહ્યું કે આગામી વરસાદની ઋતુ (ચોમાસુ) માં વધારે સાવચેત બનવાની જરૂર છે.
આગામી વરસાદની ઋતુ (ચોમાસુ) માં વધારે સાવચેત બનવાની જરૂર છે : મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે
PM મોદીએ કોરોના મહામારીને ફેલાતી રોકવા માટે રાષ્ટ્રવ્યાપી લૉકડાઉનની જાહેરાત કરી હતી
તેઓએ ટીવી પર જાહેર સંદેશમાં કહ્યું, 'અચાનક લૉકડાઉન લાગૂ કરવું ખોટુ હતું, તેને તાત્કાલિક ન હટાવી શકાય, આ આપણા લોકો માટે બીજો ઝટકો હશે.'
વડાપ્રધાન મોદીએ કોરોના વાયરસ મહામારીને ફેલાતી રોકવા માટે રાષ્ટ્રવ્યાપી લૉકડાઉનની જાહેરાત કરી હતી. તેના પ્રથમ ચરણ 25 માર્ચથી 14 એપ્રિલ હતું, જેને 15 એપ્રિલથી આગળ વધારતા 3 મે સુધી (બીજુ ચરણ) લાગૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેનું ત્રીજુ ચરણ 4 મેથી 17 મે સુધી આગળ વધારવામાં આવ્યું હતું. હવે લૉકડાઉન 4.0ને કેટલીક છૂટ સાથે 18 મેથી 31 મે સુધી આગળ વધારાયું છે.
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે કેન્દ્ર સરકારે થોડી મદદ કરી છે, પરંતુ તેઓે કોઇ રાજકીય આક્ષેપ નહીં કરે. આ ઉપરાંત મુખ્યમંત્રી ઠાકરેએ કહ્યું કે મહારાષ્ટ્ર સરકારને જીએસટીની બાકી ચૂકવણી થઇ નથી. ટ્રેન ટિકિટ ભાડુ (પ્રવાસી શ્રમિકોને તેમના ગૃહ રાજ્ય સુધી પહોંચાડવા માટે) ના કેન્દ્રનો ભાગ મળવાનો હજુ બાકી છે. કેટલીક દવાઓ હજુ પણ અછત છે. શરૂઆતમાં અમે પીપીઇ કિટ અને અન્ય ઉપકરણોની અછતનો સામનો પણ કર્યો હતો.