જો કોઇ વ્યક્તિની કુંડળીમાં ગ્રહોથી સબંધિત દોષ હોય છે તો વ્યક્તિને ભાગ્યનો સાથ મળી શકતો નથી. સાથે જ કાર્યોમાં નાની નાની સફળતા માટે પણ મોટી મોટી પરેશાનીઓનો સામનો કરવો પડે છે. કુંડળીના દોષો દૂર કરવા જ્યોતિષમાં ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે.
જે લોકો જલ્દી લગ્ન કરવા ઇચ્છે છે એમને દર ગુરુવારે ગાયને લોટના બે ગુલ્લા પર હળદર લગાવીને ખવડાવી જોઇએ. સાથે જ થોડો ગોળઅને ચણાની દાળ ગાયને ખવડાવો
દરેક દુરુવારે પાણીમાં એક ચપટી હળદર નાંખીને સ્નાન કરવું જોઇએ. ભોજનમાં કેસરનું સેવન કરવાથી વિવાહ શીધ્ર થવાની સંભાવના બને છે.
શિવલિંગ પર ચણાની દાળ ચઢાવો અને ऊँ નમ: શિવાય મંત્રનો જાપ કરો.
સવારે ગંગા જળમાં અથવા ચોખ્ખા પાણીમાં કપૂર મિક્સ કરો અને મેન ગેટ પર છાંટો. આ ઉપાયથી ઘરમાં નકારાત્મક પ્રવશ કરતી નથી.
ગુરુવારે શિવ-પાર્વતીની એક સાથે પૂજા કરવાથી વિવાહથી જોડાયેલી દરેક પરેશાનીઓ દૂર થઇ શકે છે. શિવલિંગ પર કાચું દૂધ બિલી પત્ર કુમકુમ અને ચોખા ચઢાવીને પૂજા કરવી જોઇએ.
દર ગુરુવારે અને પૂનમે વટ વૃક્ષની 108 પરિક્રમા કરો. ગુરુવારે વટ વૃક્ષ પીપળ કેળાનું વૃક્ષવ પર પાણી ચઢાવો.