સુરતના હીરા વેપારીને ત્યાં ઇનકમ ટેક્સ વિભાગએ દરોડા પાડ્યા છે. આ મોટા વેપારી ના 23 સ્થળો પર એક સાથે દરોડા પાડવામાં આવ્યા જેમાં 500 કરોડ રૂપિયાથી વધુની હેરાફેરીનો ખુલાસો થયો છે
સુરતમાં હીરા વેપારીઓને ત્યાં આઇટી વિભાગની કાર્યવાહી
કરોડો રૂપિયાની કરચોરી કરી હોવાનું આવ્યું સામે
સુરત સહિત મહારાષ્ટ્રમાં આવેલી ઓફિસ પર પણ કાર્યવાહી
રૂ.518 કરોડના પોલિશ્યડ હીરા હિસાબ વિનાના મળ્યા
રૂ.1.95 કરોડના રોકડ અને દાગીના મળી આવ્યા
ચાર દિવસીથી દરોડા ચાલી રહ્યાં છે
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સે કહ્યુ કે ઈનકમ ટેક્સ વિભાગે ગુજરાતના અગ્રણી હીરાના ઉત્પાદક અને નિકાસકારના ત્યાં દરોડા પાડ્યા છે. આ દરમિયાન કરોડો રૂપિયાની ટેક્સ ચોરીનો ખુલાસો થયો છે. 22 અને 23 સપ્ટેમ્બર 2021એ ગ્રૂપના પરિસર પર આ દરોડા પાડવામાં આવ્યા છે. દરોડાની કાર્યવાહી હજુ પણ ચાલી રહી છે.
હિસાબ વગર નાના
હીરાની ખરીદી અને વેચાણ
આ અંગેની પ્રાથમિક માહિતી અનુસાર આ જૂથે 518 કરોડની નાની અને પોલિશ્ડ હીરાની ખરીદી અને વેચાણ હિસાબ વગર કરી હતી. આ ગ્રુપ મહારાષ્ટ્રમાં મુંબઈ અને ગુજરાતમાં સુરત, નવસારી, મોરબી અને વાંકાનેરમાં ટાઈલ્સ બનાવવાનો વ્યવસાય પણ ધરાવે છે.
1.95 કરોડની રોકડ અને દાગીના મળી આવ્યા
આ અંગે સીબીડીટીએ નિવેદનમાં જણાવ્યું હતું કે દરોડા દરમિયાન 1.95 કરોડની રોકડ અને દાગીના મળી આવ્યા છે. આ સાથે 8900 કેરેટના હીરા સ્ટોક પણ રિકવર કરવામાં આવ્યા છે. તેની કિંમત 10.98 કરોડ રૂપિયા છે. કેસમાં રિકવર થયેલી આ વસ્તુઓનો કોઈ હિસાબ નથી. એટલું જ નહીં, મોટી સંખ્યામાં ગ્રુપ લોકર પણ ચિહ્નિત કરવામાં આવ્યા છે. ડેટા અનુસાર, છેલ્લા બે વર્ષમાં આ કંપની દ્વારા 189ની ખરીદી અને રૂ. 1040 કરોડનું વેચાણ કરવામાં આવ્યું છે.