31 જાન્યુઆરી 2019. લોકસભા ચૂંટણી પહેલાના કેટલાક સમયની વાત છે. અંગ્રેજી અખબાર બિઝનેસ સ્ટાન્ડર્ડે બેરોજગારોને લઇને એક સમાચાર પ્રસિદ્ધ કર્યા હતા. NSSOના આંકડા દ્વારા જણાવવામાં આવ્યું કે, દેશમાં બેરોજગારીનો દર છેલ્લા 45 વર્ષમાં સૌથી વધારે રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, 1972-73 બાદ 2017-18માં એટલી વધારે પ્રમાણમાં બેરોજગારી વધી છે. આ રિપોર્ટ પ્રસિધ્ધ થયાં બાદ થયું હલ્લાબોલ. વિપક્ષે સરકાર પર આરોપ લગાવ્યો કે, તેમણે જાણી જોઇને આ આંકડાઓ પ્રસિધ્ધ કર્યા છે. રાહુલ ગાંધીએ આ મુદ્દે મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા પરંતુ બેરોજગારી મુદ્દો બની નહીં.
31 મે 2019. ચૂંટણી જતી રહી છે. રિઝલ્ટ પણ આવી ગયું. સરકાર બની છે. મોદી કેબિનેટની આજે પ્રથમ મિટીંગ પણ પૂર્ણ થઇ ગઇ છે. આ દિવસોમાં કેન્દ્રીય આંકડા મંત્રાલયે ડેટા જાહેર કર્યો.
Unemployment rate at 6.1% in financial year 2017-18 according to Labour Survey. pic.twitter.com/ZTr9RVhNny
આ ડેટામાં કહેવામાં આવ્યું છે કે, 2017-18 દરમિયાન દેશમાં બેરોજગારી દર 6.1 % હતી. જે 45 વર્ષોમાં સૌથી વધારે હતી. શહેરોમાં બેરોજગારીનો દર ગામડા કરતા વધારે છે. 7.8 % શહેરી યુવાનો બેરોજગાર છે. તો આ તરફ ગામડાઓમાં આ આંકડા 5.3 % છે.
શું છે NSSO..?
NSSO મતલબ National Sample Survey Office report. આ એક પ્રકારનું સરકારી સંગઠન છે. જે આંકડા મંત્રાલય હેઠળ સમાવિષ્ઠ છે. દેશમાં જે પણ સરકારી સર્વે થાય છે તેના તમામ આંકડાઓ એકત્રિત કરવાનું કામ આ National Sample Survey Office report કરે છે.
તે સમયે સરકારે કેમ ના જાહેર કર્યો ડેટા
લોકસભા ચૂંટણી આંગણે આવીને ઉભી હતી. બેરોજગારી મુદ્દા પર વિપક્ષ સરકારને ઘેરી રહ્યું હતું. વિપક્ષ આરોપ લગાવી રહ્યું હતું કે, નોટબંધી બાદ બેરોજગારી વધી છે. લાખો-કરોડો લોકોની નોકરી ચાલી ગઇ છે. સરકારનો રિપોર્ટ વિપક્ષના આરોપને સાચા સાબિત કરી રહી હતી. એવામાં સરકાર પોતાના જ સાચા રિપોર્ટને જાહેર કેવી રીતે કરે..?