ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજની રિલીઝ પહેલા અક્ષય કુમાર અને ડીરેક્ટર ડો.ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ જ્ઞાનવાપી પરિસરના વીડિયો અને વિવાદ પર પોતાનો મંતવ્ય વ્યક્ત કર્યો.
અક્ષયે કાશી વિશ્વનાથ મંદિરે કર્યા દર્શન
અક્ષય કુમાર પોતાની આગામી ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજની રિલીઝ પહેલા વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરે દર્શન માટે પહોંચ્યા હતા હવે અક્ષય કુમાર અને ડૉક્ટર ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ જ્ઞાનવાપી પરિસરના વીડિયો અને આ સમગ્ર વિવાદ પર પોતાનો મંતવ્ય આપ્યો છે. અક્ષય કુમારે કહ્યું કે તેમને સરકાર, ન્યાયતંત્ર અને ASI પર પૂરો ભરોસો છે.
મને વિશ્વાસ છે આપણી સરકાર ઉપર
એક ખાનગી મીડિયાના એડિટર-ઇન-ચીફ નાવિકા કુમારે શો 'સવાલ પબ્લિક કા' માં અક્ષય કુમારને પૂછ્યું હતું કે, "ચર્ચા ચાલી રહી છે કે ઔરંગઝેબે કાશીમાં મંદિર તોડીને જ્ઞાનવાપી મસ્જિદ બનાવી હતી. પરિસરના ફોટોગ્રાફ્સ પણ છે, જેના પર કોર્ટ નિર્ણય આપશે, પણ જે ફોટા છે, તેને કોઈ પણ માનવા તૈયાર નથી. આવી સ્થિતિમાં, ફક્ત ઇતિહાસ જ હટાવવામાં આવી રહ્યો નથી, પરંતુ આપણી આંખોને પાટા બાંધી રહ્યા છે. અક્ષય કુમારે જવાબ આપ્યો, "મને વિશ્વાસ છે કે જે આપણી સરકાર છે, આપણી ASI છે અને જે જજ છે તે યોગ્ય નિર્ણય લેશે. જ્ઞાનવાપી પરિસરના વીડિયો પર અક્ષય કુમાર કહે છે, " જોવામાં તો શિવલિંગ જ લાગે છે. '
અને લોકોને અમારો ઈતિહાસ બતાવવાં માંગીએ છીએ
અક્ષય કુમારને પૂછવામાં આવ્યું કે શિવલિંગની ઉપરથી કાપીને કંઈક પાંખ જેવું બનાવવામાં આવ્યું છે. શું તમને લાગે છે કે તે કાપીને બનાવવામાં આવ્યું છે અથવા શિવલિંગનો એક ભાગ છે. આના પર અક્ષયે જવાબ આપ્યો, "મને તેના વિશે કોઈ માહિતી નથી. હું ક્યારેય એવી કોઈ વસ્તુ વિશે વાત કરતો નથી જેના વિશે હું જાણતો નથી. જો કે તેના વિશે ઘણી બધી વાતો થઈ રહી છે. લોકો હવે તેના વિશે જાણે છે. અભિનેતા ઉમેરે છે, "અમે અમારો ઇતિહાસ પાછો લાવવા માંગીએ છીએ. અમારી પાસે રાખવા માંગીએ છીએ . અને લોકોને બતાવવાં માંગીએ છીએ. '
જ્ઞાનવાસ્વામી પરિસર પર બોલ્યા ડો.દ્વિવેદી
સમ્રાટ પૃથ્વીરાજના ડાયરેક્ટર ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ જ્ઞાનવાપી પરિસરના વીડિયો પર જણાવ્યું હતું કે, "મારું માનવું છે કે આ શિવલિંગ છે. મારા મનમાં આ વિશે કોઈ શંકા નથી. મેં આક્રમણનો આખો ઇતિહાસ જોયો છે. 'ડો.દ્વિવેદી કહે છે, 'એવું લખ્યું પણ છે અને ઇતિહાસકાર ઇરફાન હબીબ પણ એવું માનતા હતા કે ઔરંગઝેબના આદેશ પર કાશી વિશ્વનાથ મંદિરને તોડી પાડવામાં આવ્યું હતું. આ ઉપરાંત કે.કે.નટવરસિંહે પોતાના પુસ્તકમાં જે કૃષ્ણ જન્મભૂમિમાં મંદિર તોડી પાડવામાં આવેલા, એ વિશે પણ લખ્યું છે.'