કામની ઉતાવળમાં આપણાથી રોજ કોઇને કોઇ વસ્તુ પડી જાય છે. જેનાથી તમારે પરેશાન થવાની જરૂર નથી, પરંતુ કેટલીક ચીજ વસ્તુ વારે વારે પડી જાય છે તો આ અપશકુન ગણાય છે.
વસ્તુનું વારંવાર પડી જવું અશુભ
કેટલીક વસ્તુઓ આપે છે સંકેત
વારંવાર વસ્તુઓ પડે તો રાખવું ધ્યાન
જો આવું થાય છે તો તમારે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે.
હાથમાંથી વારે ઘડિયે વસ્તુ કેમ પડે છે
જ્યોતિષના કહ્યાં અનુસાર, હાથમાંથી વારે ઘડિયે વસ્તુઓ પડી જવી કે તૂટી જવી તે વાતનો સંકેત આપે છે કે તમારો કોઇ ગ્રહ ભારે છે. સાથે જ હાથમાંથી ચીજો પડવી તે વાસ્તુદોષને પણ દર્શાવે છે. જાણો કઇ વસ્તુ પડે તો તેનો શું અર્થ છે
ઉકળતુ દુધ ઢોળાઇ જવું
વાસ્તુ અનુસાર ઉકળતા દુધનું વારે ઘડિયે ઢોળાઇ જવું તે વાતનો સંકેત છે તે તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિમાં કમી આવવાની છે. સાથે જ તમારા પરિવારમાં ઝઘડા થાવાની સંભાવનાઓ છે. આર્થિક સંકટની નિશાની છે.
મીઠાનું ઢોળાવું
જો વારે વારે તમારા હાથમાંથી મીઠુ ઢોળાઇ જાય છે તો તેનો મતલબ છે કે તમારો શુક્ર અને ચંદ્ર કમજોર છે. જ્યાં શુક્રના કમજોર હોવાથી લગ્નજીવનમાં મુશ્કેલીઓ આવે છે. ચંદ્ર નબળો હોવાથી શ્વાસ સંબંધી બિમારીઓ થાય છે.
બ્લેક પેપર ઢોળાવું
જો તમારા હાથમાંથી વારે ઘડિયે બ્લેક પેપર ઢોળાય છે તો તેનો મતલબ છે કે તમારા નજીકના સંબંધીઓ સાથેના સંબંધો ખરાબ થવાના છે.
અનાજ ઢોળાવું
ઘઉં, ચોખા, કે અન્ય કોઇ જ અનાજ વારે ઘડિયે ઢોળાય તેને અશુભ માનવામાં આવે છે. અનાજ ઢોળાવાથી અન્નપૂર્ણા દેવી રુઠી જાય છે. માટે જ્યારે પણ અનાજ ઢોળાય તો તેને ઉઠાવીને પગે લાગો અને માફી માંગી લો.
તેલ ઢોળાવું
રસોઇ કરતી વખતે વારે ઘડિયે તમારા હાથમાંથી તેલ ઢોળાઇ જાય છે તો તેનો મતલબ છે કે પરિવાર પર મોટુ સંકટ આવવાનું છે.
પૂજાની થાળીનું પડવું
પૂજા કે આરતી કરતી વખતે હાથમાંથી થાળીનું પડી જવું અશુભ માનવામાં આવે છે. તેનો મતલબ છે કે ભગવાન તમારી આ પૂજાનો સ્વિકાર નથી કરી રહ્યાં, અને આવનારા સંકટ તરફ ઇશારો કરી રહ્યાં છે.
સિંદુરનું પડવું
જો તમારા હાથમાંથી વારે ઘડિયે સિંદુર પડી જાય છે તો આ ખુબ જ ખરાબ સંકેત છે. તમારા પતિ પર આવનારા સંકટનો આ ઇશારો હોઇ શકે છે, તે સિવાય ધન અને વ્યાપારમા પણ નુકસાનનો સંકેત છે.