ટાલ, વાળ ખરવા, શુષ્ક વાળ, ખોડો આ બધી સમસ્યા એ ખૂબ જ સામાન્ય બાબત છે. અઠવાડિયામાં બે થી ત્રણ વાર વાળ ધોવા જોઈએ. વાળ લાંબા હોય તો વારંવાર વાળ ધોવાથી વાળને ખૂબ જ નુકસાન થાય છે.
વાળ ધોયા બાદ ટુવાલ ના બાંધવો.
ટુવાલ બાંધવાની જગ્યાએ હેરડ્રાયરનો ઉપયોગ કરો.
અઠવાડિયામાં બે થી ત્રણ વાર વાળ ધોવા જોઈએ.
આજના સમયમાં માથામાં ટાલ, વાળ ખરવા, શુષ્ક વાળ, ખોડો આ બધી સમસ્યા એ ખૂબ જ સામાન્ય બાબત છે. પુરુષ હોય કે મહિલા લગભગ દરેક વ્યક્તિમાં આ સમસ્યા જોવા મળે છે. આ સમસ્યા સૌથી વધુ મહિલાઓમાં જોવા મળી રહી છે, તમે ઘણીવાર જોયું હશે કે, મહિલાઓ વાળ ધોયા બાદ માથામાં ટુવાલ બાંધી લે છે. જો મહિલાને પૂછવામાં આવે કે તેઓ વાળ ધોયા બાદ ટુવાલ શા માટે બાંધે છે, તો એક જ જવાબ મળે છે કે, તેનાથી વાળ જલ્દી સુકાઈ જાય છે. બીજી બાજુ જોવા જઈએ તો ડોક્ટર આ પ્રકારે કરવાની બિલકુલ પણ ના પાડે છે. આ પ્રકારે કરવાથી વાળને અનેક પ્રકારના નુકસાન થાય છે.
જે મહિલાઓ વાળ ધોયા બાદ ટુવાલ બાંધે છે, તેની જગ્યાએ હેર ડ્રાયરનો ઉપયોગ કરવામાં આવે તો તે વધુ ફાયદાકારક રહેશે. જેનાથી વાળ જલ્દી સુકાઈ જશે અને ટાલમાં પણ પોષણ પહોંચશે. હેર ડ્રાયરનો ઉપયોગ કરતા સમયે ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. અઠવાડિયામાં બે થી ત્રણ વાર વાળ ધોવા જોઈએ. જો તમારા વાળ લાંબા હોય તો વારંવાર વાળ ધોવાથી વાળને ખૂબ જ નુકસાન થાય છે.
વાળ ધોયા બાદ ટુવાલ બાંધવામાં આવે તો શું નુકસાન થાય છે?
ભીના વાળમાં ટુવાલ બાંધવાથી વાળ વધુ સમય સુધી ભીના રહે છે, જેના કારણે ખોડો થવાની સંભાવના વધી જાય છે.
વાળ ધોયા બાદ ટુવાલ બાંધવાથી ટાલમાં ફંગલ ઇન્ફેક્શન થાય છે, જેનાથી વાળને ખૂબ જ નુકસાન થાય છે.
જે લોકોને વાળ ખરવાની સમસ્યા છે તેમણે વાળ ધોયા બાદ બિલકુલ પણ ટુવાલ ના બાંધવો જોઈએ. આ પ્રકારે કરવાથી વાળ ખરવાની સમસ્યા વધી જાય છે.
ભીના વાળમાં ટુવાલ બાંધવાથી વાળ જડમૂળથી નબળા પડી જાય છે. જેના કારણે વાળ ખરવાની સમસ્યા ઉત્પન્ન થાય છે.
વાળ બાંધવાથી વાળ વધુ શુષ્ક થઈ જાય છે, જેનાથી પ્રાકૃતિક શાઇનિંગ જતી રહે છે.
ડોક્ટર જણાવે છે કે, અઠવાડિયામાં વાળમાં બેથી ત્રણ વખત તેલથી મસાજ કરવું જોઈએ. જેનાથી તમારા વાળમાં નેચરલ શાઇનિંગ આવશે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે, VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.