દરેક વ્યક્તિએ દાન-પુણ્ય કરવું જ જોઈએ. ગરુડ પુરાણમાં કેટલીક એવી વિશેષ વસ્તુઓના દાન વિશે જણાવવામાં આવ્યું છે જે જીવનભર કરવામાં આવે તો મૃત્યુ પછી મોક્ષની પ્રાપ્તિ થાય છે.
દરેક વ્યક્તિએ કરવું જોઈએ દાન-પુણ્ય
ગરૂડ પુરાણમાં છે ઉલ્લેખ
આ 10 વસ્તુઓનું જરૂર કરો દાન
હિંદુ ધર્મમાં દાન-દક્ષિણા મહત્વપૂર્ણ માનવામાં આવે છે. દાન-દક્ષિણાનું પુણ્ય વ્યક્તિને માત્ર આ જન્મમાં નથી મળતુ પરંતુ મૃત્યુ પછી વ્યક્તિને મોક્ષ પણ મળે છે. વૈષ્ણવ સંપ્રદાયના મહાન પુરાણ ગરુડ પુરાણમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જીવન દરમિયાન કેટલીક વિશેષ વસ્તુઓનું દાન કરવાથી મૃત્યુ પછી સ્વર્ગના દ્વાર ખુલી જાય છે અને આવા લોકોને નર્કના ત્રાસમાંથી મુક્તિ મળે છે.
વ્યક્તિના કર્મો પરથી થાય છે નક્કી, સ્વર્ગ મળશે કે નર્ક
ગરુડ પુરાણ એક એવો ગ્રંથ છે જેમાં જીવન અને મૃત્યુ સાથે જોડાયેલા અનેક રહસ્યો જણાવવામાં આવ્યા છે. આમાં મોક્ષ મેળવવાનો માર્ગ પણ વિસ્તારપૂર્વક જણાવવામાં આવ્યો છે. ગરુડ પુરાણ અનુસાર, મૃત્યુ પછી વ્યક્તિ નર્કમાં જશે કે સ્વર્ગમાં તે મોટાભાગે વ્યક્તિ દ્વારા તેના જીવનકાળ દરમિયાન કરેલા કાર્યો દ્વારા નક્કી કરવામાં આવે છે.
ગરુડ પુરાણમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જે લોકોને મૃત્યુ પછી મોક્ષ નથી મળતો, તેમને નર્કમાં સ્થાન મળે છે અથવા તો તેમની આત્મા ભટકતી રહે છે.
દાનથી થાય છે મોક્ષની પ્રાપ્તી
એવું માનવામાં આવે છે કે ગરુડ પુરાણમાં જણાવેલ નિયમોનું પાલન કરવાથી આત્મા મોક્ષની પ્રાપ્તિ કરે છે. ગરુડ પુરાણમાં ભગવાન વિષ્ણુ અને ગરુડ વચ્ચેની વાતચીતમાં કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ પોતાના જીવનકાળ દરમિયાન તલ, મીઠું સહિત આ 10 વસ્તુઓનું દાન કરે છે તેને મૃત્યુ પછી મોક્ષ મળે છે.
જીવનભર આ 10 વસ્તુઓનું જરૂર કરો દાન
ગરુડ પુરાણ અનુસાર જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે ત્યારે તેનું બધું જ પૃથ્વી પર રહે છે. ફક્ત તેના કાર્યો તેની સાથે જાય છે. એટલા માટે જીવનમાં સારા કાર્યો અને દાન કરતા રહો. ગરુડ પુરાણમાં વ્યક્તિને મૃત્યુ પહેલા તલ, સોનું , મીઠું, પાણીનું પાત્ર, લોખંડ, કપાસ, જમીન, પાદુકા અને 7 પ્રકારના અનાજનું દાન કરવાનું કહેવામાં આવ્યું છે.
એવું માનવામાં આવે છે કે મૃત્યુ પછી યમ માર્ગમાં આ વસ્તુઓનું દાન કરવાથી વ્યક્તિને પુણ્ય મળે છે અને તેની આત્માને કોઈપણ પ્રકારની પીડા થતી નથી.