કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પોતાના દિવાળી સંદેશમાં મોદી સરકારને પોતાનો રાજધર્મ યાદ અપાવ્યો છે. સોનિય ગાંધીએ કહ્યું કે ઉત્પાદનનું સાચુ મૂલ્ય અપાવવું એજ રાજધર્મ છે. સરકારની નીતિઓના કારણે દેશના ખેડૂતો કાળી દિવાળી ઉજવવા મજબૂર બન્યાં છે.
સોનિયા ગાંધીએ ખેડૂતો માટે ગણાવી કાળી દિવાળી
સરકાર વચેટિયા-કાળા બજારીઓને ફાયદો કરાવી રહી છે
ખેડૂતોને પાકનો યોગ્ય ભાવ નથી મળી રહ્યો
ખેડૂતોને લઇને કોંગ્રેસ અધ્યક્ષાના મોદી સરકાર પર પ્રહાર
સોનિયા ગાંધીએ ખેડૂતોને લઇને સરકાર પર હલ્લાબોલ કરતાં ખેડૂતોની હાલની પરિસ્થિતિને લઇને સવાલ કર્યાં છે. સોનિયા ગાંધીએ કહ્યું કે સરકારની ખેડૂત વિરોધી નીતિના કારણે આજે દેશના ખેડૂતો 'કાળી દિવાળી' મનાવવા મજબૂર છે. સરકારના કારણે ખેડૂતોને તેમના પાક પર સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા ન્યૂનત્તમ સમર્થન મૂલ્ય પણ નથી મળી રહ્યું.
ખેડૂતોની વસ્તુઓ પર લાદવામાં આવેલ GSTનો કર્યો વિરોધ
કોંગ્રેસ અધ્યક્ષાએ કહ્યું કે ભાજપની સરકાર સત્તામાં આવવાની સાથે જ ખેડૂતો સાથે છેતરપિંડીની નીતિનું કામ ચાલુ કરી દીધું હતું. સોનિયા ગાંધીએ સરકાર પર ખેડૂતો સાથે જોડાયેલી વસ્તુઓ પર લગાવામાં આવેલ GSTનો વિરોધ કર્યો. આ સાથે દરરોજ ડીઝલની કિંમતમાં પણ થઇ રહેલા વધારને ખોટો બતાવ્યો. આ બધાની સીધી અસર ખેડૂતોની આવક પર પડી રહી હોવાનું કોંગ્રેસ અધ્યક્ષાએ જણાવ્યું.
સોનિયા ગાંધીએ મોદી સરકારને પોતાના રાજધર્મ નિભાવવા જણાવ્યું. કોંગ્રેસ અધ્યક્ષાએ કહ્યું સરકારે ખેડૂતોને ઉત્પાદનનું સાચુ મૂલ્ય અપાવવું એ જ રાજધર્મ. સરકાર વચેટિયા-કાળા બજારીઓને ફાયદો કરાવી રહી છે. જેને લઇને ખેડૂતો કાળી દિવાળી ઉજવવા મજબૂર બન્યાં છે. પાક નિર્ધારિત મૂલ્યથી ઓછા ભાવે વેચાતા દેશના ખેડૂતો પર બમણો માર પડી રહ્યો છે.