નવી દિલ્હી: ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે પહેલી વખત પરમેનેન્ટ અકાઉ્ટ નંબર પ્રાપ્ત કરવાના ઇચ્છુક વ્યક્તિઓ માટે 'ઇન્સ્ટન્ટ' આધાર આધારિત પાન વહેંચણી પ્રણાલી શરૂ કરી છે. એના દ્વારા કોઇ પણ ઝંઝટ વગર આધાર નંબર દ્વારા PAN નંબર મેળવી શકાશે. આ સુવિધા માટે તમારે કોઇ ફી આપવી પડશે નહીં. આ સુવિધા વહેલા તે પહેલાના આધાર પર મળશે. ઇનકમ ટેક્સ વિભાગે ઇ પાન ની સુવિધા સીમિત સમય માટે જ રાખી છે.
OTP થી બનશે નવું ઇ-પાન
એક સીનિયર અધિકારીએ કહ્યું કે લોકોને એમની ફાઇનેન્શિયલ અને ટેક્સ મામલા માટે પરમેનેન્ટ અકાઉન્ટ નંબર પ્રાપ્ત કરનાર લોકોની સંખ્યા વધી છે. આવેદન કરનાર લોકોની વધતી સંખ્યાને જોતા ઇ પાન બનાવવાની સુવિધા શરૂ કરવામાં આવી છે. એમને કહ્યું કે આધારમાં પજિસ્ટર્ડ નંબર પર આવેલા OTPને નાંખતા જ એ વ્યક્તિના PAN નંબર વહેંચણી થઇ જશે. આ પ્રક્રિા દ્વારા બનાવવામાં આવેલા નવા પાનમાં વ્યક્તિના આધારમાં મોજૂદ સામાનનું નામ જન્મ તિથી લિંગ મોબાઇલ નંબર અને સરનામું હશે.
કંપનીઓ HUF નહીં જનરેટ કરી શકે ઇ-પાન
ઇ-પાનની સુવિધઆ માત્ર રેજિડેન્શિયલ વ્યક્તિઓ માટે છે. HUFષ ફર્મ્સ ટ્રસ્ટ અને કંપનીઓ ઇ પાન જનરેટ કરી શકશે નહીં. એક વખત પાન ઇલેક્ટ્રોનિક આદાર આધારિત વેરિફિકેશન સિસ્ટમ દ્વારા કેટલીક સેકન્ડોંમાં વહેંચણી થઇ ગયા બાદ આવેદકોને થોડાક સમયમાં પાન કાર્ડ પોસ્ટ દ્વારા મોકલી દેવામાં આવશે. તમને ડિપાર્ટમેન્ટની ઓફિશિયલ વેબસાઇટ https://www.incometaxindiaefiling.gov.in પર લોગઇન કરીને ઇ પાન જનરેટ કરવું પડશે.