બજેટમાં નાણાંમંત્રી નિર્મલા સીતારમણે કરોડો કરદાતાઓને પાનકાર્ડને બદલે આધાર કાર્ડથી આયકર રિટર્ન ભરવાની સુવિધા આપી હતી. હવે કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ (સીબીડીટી)નાં પ્રમુખે આ મુદ્દે કહ્યું કે, માત્ર આધાર દ્વારા આયકર રિટર્ન દાખલ કરનારા વ્યક્તિને નવી વ્યવસ્થા અંતર્ગત આયકર વિભાગ સ્વતઃ જ એક પાનકાર્ડ રજૂ કરી દેશે. તમને જણાવી દઇએ કે, આ નવી વ્યવસ્થા બંને ડેટાબેસ (આધાર અને પાન)ને જોડવા માટે કરવામાં આવી છે.
બજેટમાં નાણાંમંત્રી નિર્મલા સીતારમણે કરોડો કરદાતાઓને પાનકાર્ડ (Pancard) ને બદલે આધાર કાર્ડથી આયકર રિટર્ન (Income Tax Return) ભરવાની સુવિધા આપી હતી. હવે કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ (સીબીડીટી)નાં પ્રમુખે આ મુદ્દે કહ્યું કે, માત્ર આધાર દ્વારા આયકર રિટર્ન દાખલ કરનારા વ્યક્તિને નવી વ્યવસ્થા અંતર્ગત આયકર વિભાગ સ્વતઃ જ એક પાનકાર્ડ રજૂ કરી દેશે. તમને જણાવી દઇએ કે, આ નવી વ્યવસ્થા બંને ડેટાબેસ (આધાર અને પાન)ને જોડવા માટે કરવામાં આવી છે.
સીબીડીટીનાં અધ્યક્ષે આપ્યું નિવેદનઃ
આ સંદર્ભમાં સીબીડીટીનાં અધ્યક્ષ પ્રમોદ ચંદ્ર મોદીએ કહ્યું કે, પાનની ઉપયોગિતા નિશ્ચિત રીતે ખતમ નથી થઇ અને હાલિયા બજેટમાં બંને ડેટાબેસ (પાન અને આધાર)ને એક-બીજાની જગ્યાએ ઉપયોગ કરવા માટે એક જેવું બતાવવું એ એક અતિરિક્ત સુવિધા છે કે જેઓને જોડવા પર સુનિશ્ચિત કરશે, જો કે, હવે કાયદા અંતર્ગત તે અનિવાર્ય છે.
પાનકાર્ડની થઇ શકે છે ફાળવણીઃ
આ સાથે જ તેઓએ કહ્યું કે, 'આવા મામલાઓમાં જ્યાં આધાર (Aadhaar Card) નો સંદર્ભ આપવામાં આવી રહેલ છે અને ત્યાં પાનનો ઉલ્લેખન નથી ત્યાં અમે (આયકર રિટર્ન જમા કરનારા) વ્યક્તિને પાનની ફાળવણી કરવાની સંભાવનાને વિશે વિચારી શકીએ છીએ.
બની રહેશે પાનની ઉપયોગિતાઃ
હકીકતમાં, સીબીડીટી પ્રમુખને પૂછવામાં આવ્યું કે, શું નાણાંમંત્રી નિર્મલા સીતારમણનાં બજેટ ભાષણમાં કરવામાં આવેલ જોગવાઇ બાદ આયકર (આઇટી) વિભાગ દ્વારા રજૂ કરવામાં આવેલ પાનની ઉપયોગિતા નહીં રહે. તેની પર તેઓએ કહ્યું હતું કે, 'આ મુદ્દાને ખોટી રીતે જોવામાં આવે છે. નિશ્ચિત રીતે પાનની ઉપયોગિતા ખતમ નથી થઇ રહેલ. પાનની ઉપયોગિતા બની રહેશે.'