કોરોના કાળમાં ઇન્કમ ટેક્સ વિભાગે 62,000 કરોડ રૂપિયાથી વધારે ટેક્સ રિફંડ કરવામાં આવ્યું છે. 8 એપ્રિલથી 30 જૂન 2020 સુધી વિભાગે 20 લાખથી વધારે કરદાતાઓને કુલ 62,361 કરોડ રૂપિયા રિફંડ તરીકે આપવામાં આવ્યાં છે. કોરોના મહામારીના સમયમાં કરદાતાઓને મદદ કરવામાં આવે એટલા માટે સરકારે આ રિફંડ કર્યું છે.
પ્રાપ્ત મળતી વિગત અનુસાર ઇન્કમ ટેક્સ વિભાગે ટેક્સ રિફંડ પ્રતિ મિનીટ 76 કેસના હિસાબે કર્યું છે. 56 અઠવાડિયાના આ સમયગાળામાં સીબીડીટીએ 20.44 લાખથી પણ વધારે કેસમં ટેક્સ રિફંડ કરવામાં આવ્યું છે.
આ સંદર્ભમાં ઇન્કમ ટેક્સે જણાવ્યું છે કે તેઓ ના માત્ર ટેક્સપેયર ફ્રેંડલી છે, પરંતુ કોરોના મહામારી જેવા મુશ્કેલ સમયમાં તેઓ કરદાતાઓને રૂપિયા પણ આપી રહ્યાં છે. કુલ ટેક્સ રિફંડમાં 23,453.57 કરોડ રૂપિયા 19,07,853 કરદાતાઓને આપવામાં આવ્યાં છે. જ્યારે 38,908.37 કરોડ રૂપિયા કોર્પોરેટ ટેક્સ 1,36,744 કેસમાં રિફંડ કરવામાં આવ્યાં છે.
આ વર્ષે કોઇપણને ઇન્કમટેક્સ વિભાગને રિફંડને લઇને રિક્વેસ્ટ કરવી પડી નથી. સીબીડીટીએ કહ્યું કે બધા કરદાતાઓ તરત ઇમેલથી જવાબ આપે, એટલે જેને રિફંડ મળ્યું નથી, તેને તેનો લાભ મળી શકે. આ પ્રક્રિયા સંપૂર્ણ રીતે ઓનલાઇન કરી દેવામાં આવી છે.
ઇન્કમટેક્સ વિભાગે જાહેરાત કરી હતી કે 1લી માર્ચ 2019થી માત્ર ઇ-રિફંડ જારી કરવામાં આવશે. આ માત્ર એ બેંક ખાતામાં જમા થશે જે પેન કાર્ડથી લિંક હશે.
સ્થિતિ તપાસ કરવા માટેની રીત
કરદાતા www.incometaxindiaefiling.gov.in પર પેન અને પાસવર્ડથી પોતાનું એકાઉન્ટ લોગઇન કરો