બિરયાની, ચારમિનાર, આઇટી અને સ્ટાર્ટઅપના શહેર ગણાતા હૈદરાબાદની લોકડાઉન બાદ આગળ વધવાની રફ્તાર તેજ બની છે. બેંગલુરુ, પુણે, ચેન્નઇ અને ગુડગાંવના આઇટી સેક્ટરમાં મંદી આવતાં ઇન્ટરનેશનલ કંપનીઓએ નવા ઠેકાણા તરીકે હૈદરાબાદની પસંદગી કરી હતી. આઇટી સિટી તરીકે ઓળખાતા હૈદરાબાદના આઇટી સેક્ટરની ગલીઓ આજકાલ સૂમસામ બની છે.
હૈદરાબાદની કંપનીઓનો મોટો નિર્ણય
IT કંપનીઝે 1 વર્ષ માટે આપ્યુ વર્ક ફ્રોમ હોમ
સ્ટાર્ટ-અપ્સ માટે ફાયદાની વાત આવી સામે
તમામ મોટી કંપનીઓમાં એચઆર સ્ટાફ, સિક્યોરિટી અને હાઉસકીપિંગ સ્ટાફ તો આવી જ રહ્યા છે, પરંતુ ઓફિસમાં બાકી સ્ટાફ નથી. આઇટી કંપનીઓએ પોતાના કર્મચારીઓને એક-એક વર્ષ માટે વર્ક ફ્રોમ હોમ આપી દીધુ છે. અહીંની મોટી આઇટી કંપનીઓ પર કોરોનાની એટલી અસર થઇ નથી, પરંતુ નાની સ્ટાર્ટઅપ કંપનીઓની હાલત ખરાબ છે. ૭૦ ટકા સ્ટાર્ટઅપ હવે નવા બિઝનેસમાં આવી ચૂક્યા છે.
હૈદરાબાદમાં 1455 જેટલી આઇટી કંપનીઓમાં લગભગ પાંચ લાખ લોકો કામ કરે છે. હૈદરાબાદની આઇટી કંપનીઓનો ગ્રોથ રેટ 18 ટકા છે જે એવરેજ નેશનલ ગ્રોથથી ઘણો વધુ છે. લોકડાઉન છતાં પણ તેલંગાણામાં આઇટી સેક્ટરનું આઉટપુટ સારું રહ્યુ, કેમ કે આ બધા કામ કરી રહ્યા હતા અને આ કામ ગમે ત્યાં બેસીને થઇ શકે છે.
હૈદરાબાદની આઇટી કંપનીઓનો વાર્ષિક એક્સપોર્ટ બિઝનેસ કરોડોનો છે. કોવિડ-૧૯ હૈદરાબાદની આઇટી ઇન્ડસ્ટ્રી માટે બેઅસર રહેશે, કેમ કે દુનિયાની મોટા ભાગની કંપનીઓ પાસે પહેલાંથી પ્રોજેક્ટ છે. એમેઝોન જેવી કંપનીએ તો કોરોના મહામારીમાં પોતાના એમ્પલોઇઝને ઇન્સેન્ટિવ પણ આપ્યું છે.