It appears that India is playing a 'game'..: Former Pakistan captain Shahid Afridi made serious accusations against the ICC and said something like this
ક્રિકેટ /
દેખાઈ આવે છે કે ભારત 'રમત' રમી રહ્યું છે..: ICC પર ગંભીર આરોપ લગાવતા પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદી બોલ્યો કઇંક આવું
શાહિદ આફ્રિદીએ ગંભીર આરોપ લગાવતા કહ્યું ICC ભારતીય ક્રિકેટ ટીમની ઘણી તરફેણમાં છે અનેકોઈ પણ રીતે ભારતને સેમિફાઈનલમાં પહોંચાડવાનો પ્રયાસ કરી રહી છે.
શાહિદ આફ્રિદીએ કહ્યું ICC ભારતીય ક્રિકેટ ટીમની ઘણી તરફેણમાં
ભારતને સેમિફાઈનલમાં પહોંચાડવાનો પ્રયાસ કરી રહી છે.
કોહલી ને કારણે અમ્પાયરો ઝડપથી દબાણમાં આવી જાય
બાંગ્લાદેશ સામે ભારતની જીત પછી પાકિસ્તાનના એક પત્રકારે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) પર ગંભીર આરોપ લગાવ્યા હતા અને પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ પણ તેનું સમર્થન કર્યું હતું. એમને ટીમ ઈન્ડિયા પર એક મોટો આરોપ લગાવતા નિવેદન આપ્યું હતું કે ICC ભારતીય ક્રિકેટ ટીમની ઘણી તરફેણમાં છે અને ICC કોઈ પણ રીતે ભારતને T20 વર્લ્ડ કપ 2022ની સેમિફાઈનલમાં પહોંચાડવાનો પ્રયાસ કરી રહી છે.
Virat Kohli has smashed the most runs at #T20World Cup 2022 while only being dismissed once 😲
ICC ભારતનો સાથ આપી રહી છે
ભારત અને બાંગ્લાદેશ મેચની બીજી ઈનિંગમાં વરસાદના કારણે થોડીવાર બંધ કરવામાં આવી હતી પણ એ પછી મેચ ફરી શરૂ થાય તે પહેલા શાકિબ અમ્પાયરો સાથે વાત કરતો જોવા મળ્યો હતો અને સાથે જ વિકેટકીપર-બેટ્સમેન નરુલ હસને વરસાદ પહેલા ભારતીય ટીમના 'નકલી ફિલ્ડિંગ'નો આરોપ લગાવતા અમ્પાયરનું ધ્યાન દોર્યું હતું. આ બધા છતાં પણ એ મેચ ટીમ ઈન્ડિયા જીતી ગઈ હતી અને એ વાત પર શાહિદ આફ્રિદીએ ટીમ ઈન્ડિયા અને ICCના વલણ પર સવાલ ઉઠાવ્યા છે. જણાવી દઈએ કે શાહિદ આફ્રિદીએ પાકિસ્તાની ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, 'તમે જોયું કે એડિલેડમાં મેદાન કેટલું ભીનું હતું તેમ છતાં તે જ મેદાન પર મેચ ફરી શરૂ કરવામાં આવી અને એ પરથી જાણી શકાય છે કે ICC એક રીતે ભારતીય ક્રિકેટ ટીમને સપોર્ટ કરી રહ્યું છે અને તે ઈચ્છે છે કે કોઈ પણ રીતે ભારત સેમિફાઈનલમાં પહોંચી જાય.
અમ્પાયર પર ટીમ ઈન્ડિયાની તરફેણમાં..
શાહિદ આફ્રિદીએ કહ્યું હતું કર , 'મને લાગે છે કે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલનો ટીમ ઈન્ડિયા તરફ વધુ ઝુકાવ ધરાવે છે અને બાંગ્લાદેશ સામેની મેચમાં અમ્પાયર પણ એ જ હતો જેણે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં અફિશિએશન કર્યું હતું. તે અમ્પાયરોને ICC બેસ્ટ અમ્પાયરનો એવોર્ડ પણ આપવામાં આવશે.'
કોહલી ને કારણે અમ્પાયરો ઝડપથી દબાણમાં આવી જાય
ભારતીય કેપ્ટન વિરાટ કોહલી સાથે નો-બોલનો ઘણો વિવાદ થયો છે. વર્લ્ડ કપમાં પહેલા પાકિસ્તાન સામેની મેચમાં અને આ પછી કોહલી બાંગ્લાદેશ સામેની મેચમાં હાઈ નો-બોલને લઈને ખૂબ ચર્ચામાં રહ્યો હતો. આ વિશે પાકિસ્તાનના ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડી વકાર યુનિસે પાકિસ્તાન સ્પોર્ટ્સ ચેનલ સાથે વાત કરતાં કહ્યું હતું કે કોહલી મોટો ખેલાડી છે. જ્યારે તે આવી હરકતો કરે છે ત્યારે અમ્પાયરો ઝડપથી દબાણમાં આવી જાય છે. જણાવી દઈએ કે આ પેનલમાં શોએબ મલિક પણ હતા જેમણે કહ્યું હતું કે 'કદાચ બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસન મેચમાં કોહલીને કહી રહ્યા છે કે તમે કહ્યું છે એટલે અમ્પાયરે નો-બોલનો નિર્ણય આપ્યો છે.'
શું હતો મામલો
આ સમગ્ર ઘટના ભારતીય ઇનિંગ્સની 16મી ઓવરમાં બની હતી. હસન મહમૂદે તે ઓવરનો છઠ્ઠો બોલ શોર્ટ પિચ ફેંક્યો, જેના પર વિરાટ કોહલીએ એક રન લીધો હતો અને એ પછી કોહલીની અપીલ પછી અમ્પાયરે તે બોલને નો બોલ પણ કહ્યો કારણ કે તે ઓવરનો બીજો બાઉન્સર હતો. કોહલી બોલ રમતા તરત જ પોતાનો હાથ ફેલાવીને સ્ક્વેર લેગ કરતાં અમ્પાયરને કહેવા માંગતો હતો કે બોલ ખૂબ જ ટૂંકો ફેંકાયો હતો. જણાવી દઈએ કે શાકિબને કોહલીની આ હરકતો પસંદ ન નહતી આવી અને તે અમ્પાયર સાથે વાત કરવા ગયો તો કોહલીએ તેને અટકાવ્યો હતો અને એ પછી લાંબી ચર્ચા બાદ મામલો શાંત પડ્યો હતો.