સુપ્રીમ કોર્ટે શુક્રવારે સરકારી નોકરીઓમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને પ્રમોશનમાં અનામત આપવાના મુદ્દે મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે.
સુપ્રીમ કોર્ટે શુક્રવારે સરકારી નોકરીઓમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને પ્રમોશનમાં અનામત આપવાના મુદ્દે મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે. વડી અદાલતે એસસી/એસટી માટે અનામતમાં શરતોને ઓછી કરવાની ના પાડી દીધી છે. સુપ્રીમ કોર્ટે નિર્ણય સંભળાવતા કહ્યું કે, આંકડા વગર નોકરીઓમાં પ્રમોશનમાં અનામત આપી શકાય નહીં. પ્રમોશનમાં અનામત આપતા પહેલા રાજ્ય સરકારોના આંકડા દ્વારા આ સાબિત કરવાનું રહેશે કે, SC/STનું પ્રતિનિધિત્વ ઓછું છે. સમીક્ષાનું સમયગાળો કેન્દ્ર સરકાર દ્વારા નિર્ધારિત કરશે. આ અગાઉ વડી અદાલતે કહ્યું હતું કે, તે એસસી અને એસટીના પ્રમોશનમાં અનામત આપવાના ચુકાદાને ફરીથી નહીં ખોલે કારણ કે, આ રાજ્યોએ નક્કી કરવાનું હોય છે કે તેને કેવી રીતે લાગૂ કરી શકાય.
જસ્ટિસ એલ, નાગેશ્વર રાવની અધ્યક્ષતાવાળી ત્રણ જજોની ખંડપીઠે આ વિષયમાં એટોર્ની જનરલ કેકે વેણુગોપાલ, અધિક સોલિસીટર જનરલ બલવીર સિંહ અને અલગ અલગ રાજ્યો તરફથી રજૂ થયેલા અન્ય વરિષ્ઠ વકીલો સહિત તમામ પક્ષને સાંભળ્યા છે. પીઠમાં ન્યાયમૂર્તિ સંજીવ ખન્ના અને ન્યાયમૂર્તિ બી આર ગવઈ પણ જોડાયા હતા. પીઠે 26 ઓક્ટોબર 2021ના રોજ આપેલા પોતાના ચૂકાદાને સુરક્ષિત રાખ્યો છે.
ચુકાદો સુરક્ષિત રાખતા કોર્ટે કહ્યું હતું કે, કોર્ટ ફક્ત આ મુદ્દા પર નિર્ણય કરશે કે, અનામતમાં પ્રતિનિધિત્વના આધારે પર હોવું જોઈએ કે નહીં. કેન્દ્રએ પીઠને જણાવ્યું હતું કે, આ સત્ય છે કે, દેશની આઝાદીના 75 વર્ષ બાદ પણ એસસી/એસટી સમુદાયને ઉચ્ચ વર્ણની સરખામણી મેધાના સ્તર પર લાવી શક્યા નથી. વેગુગોપાલે દલીલ આપતા કહ્યું હતું કે, એસસી અને એસટી સમુદાયના લોકો માટે ગ્રુપ એ શ્રેણીની નોકરીઓમાં ઉચ્ચ પદ મેળવવું વધારે અઘરુ છે અને સમય આવી ગયો છે કે, ખાલી જગ્યાઓને ભરવા માટે વડી અદાલતે એસસી, એસટી તથા ઓબીસી માટે કંઈક ઠોસ આધાર આપવો જોઈએ.
એસસી/એસટીને અછૂત માનવામાં આવતા હતા- અટોર્ની જનરલ
અટોર્ની જનરલે કહ્યું હતું કે, એસસી/એસટીને અછૂત માનવામા આવતાહ હતા અને તે બાકીની આઝાદી સાથે પ્રતિસ્પર્ધા કરી શકતા નહોતા. એટલા માટે અનામત હોવું જોઈએ. વેણુગોપાલે સુપ્રીમ કોર્ટમાં નવા રાજ્યોના આંકડાઓનો હવાલો આપ્યો હતો અને તેમણે જણાવ્યું હતું કે, આ તમામને બરાબરી કરવા માટે એક સિદ્ધાંતનું પાલન કર્યું છે. જેથી યોગ્યતાના અભાવે તેમને મુખ્યધારામાં આવવાથી વંચિત રાખી શકાય નહીં.
દેશમાં પછાત વર્ગોની કુલ ટકાવારી 52 ટકા છે. જો આપ સરેરાશ જોશો તો, 74.5 ટકા અનામત આપવાનું થસે, પણ આપણે કટ ઓફ 50 ટકા નક્કી કર્યું છે. જો વડી અદાલતને ચુકાદા પર માત્રાત્ક આંકડા અને પ્રતિનિધિત્વની યોગ્યતાના આધાર પર રાજ્યો પર છોડી દઈશું તો, આપણે જ્યાંથી શરૂ કર્યું હતું ત્યાં જ જઈને પહોંચી જઈશું.