વિધાનસભામાં પ્રશ્નોતરી કાળ દરમિયાન ગૃહમંત્રીના ગુજસીટોકવાળા નિવેદન મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખની પ્રતિક્રિયા સામે આવી હતી. ગ્યાસુદ્દીન શેખે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાને હંમેશા દરેક વાતને હિન્દુ મુસ્લિમ કરવાની સંકૂચિત માનસિકતાવાળા કહ્યા હતા. સાથે-સાથે પ્રદિપસિંહે UPA સરકાર પર કરેલા આક્ષેપનો જવાબ આપતા કહ્યું કે, 2014થી કેન્દ્રમાં ભાજપની સરકાર છે. તો અત્યારસુધી કેમ ગુજસીટોક કાયદાને મંજૂરી આપવામાં નહોતી આવી. આ સાથે તેમને રાજ્યની કાનૂન વ્યવસ્થા તથા ડ્રગ્સના દૂષણ વિશે પણ લોકોનું ધ્યાન દોર્યુ હતું.
વિધાનસભા ગૃહમાં લઘુમતિનો મુદ્દો ઉઠ્યો
પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું અમે લઘુમતિ-બહુમતિના ચશ્માથી કાયદાને નથી જોતા
સમગ્ર મામલો ગુજસીટોક કાયદાની ચર્ચા દરમિયાન ઉઠ્યો હતો
કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે કહ્યું ગુનેગારોનો કોઈ ધર્મ હોતો નથી
દરેક લઘુમતિ સમુદાયનો વ્યકિત આતંકવાદી નથી હોતો: જગદીશ પંચાલ
પણ દરેક આતંકવાદી લઘુમતિ સમુદાયમાંથી જ હોય છે: જગદીશ પંચાલ
ગ્યાસુદ્દીન શેખ જવાબ આપે: જગદીશ પંચાલ
ઇતિહાસનું સૌથી મોટું બજેટ
ઇતિહાસનું સૌથી મોટું બજેટ નાણામંત્રી નીતિન પટેલે 2021-22નું રજૂ કર્યું છે તે ઇતિહાસનું સૌથી મોટું બજેટ છે. નીતિન પટેલે કુલ 2 લાખ 27 હજાર 29 કરોડનું બજેટ રજૂ કર્યું છે જેમાં કૃષિ વિભાગ માટે 27 હજાર 232 કરોડ અને શિક્ષણ વિભાગ માટે 32 હજાર 719 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સાથે આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે 11 હજાર 323 કરોડ તથા મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે 3 હજાર 511 કરોડ ની જોગવાઈ કરવામાં આવી છે.
બજેટ રજૂ કરતાં પહેલા કોરોનાકાળમાં સરકારે કરેલા કામોના કર્યા વખાણ
ગુજરાતના બજેટને રજૂ કરતાં પહેલા નીતિન પટેલે આજે કોરોના કાળમાં ગુજરાત સરકારે કરેલા કામ ગણાવ્યા હતા. નીતિન પટેલે કહ્યું કે, રાજ્યના બધા જ જિલ્લાઑમાં વ્યવસથા ઊભી કરવામાં આવી. તેમણે કહ્યું કે કેટલાક રાજ્યોમાં તંબુઑ બાંધવા પડ્યા અને સ્ટેડિયમમાં દર્દીઑ રાખવા પડ્યા હતા .પરંતુ ગુજરાતમાં ખૂબ મોટી વ્યવસ્થા ઊભી કરવામાં આવી અને તે બદલ વિજય રૂપાણીનો આભાર માનું છું. આવું સુંદર આયોજન આખા ભારતમાં માત્ર ગુજરાતમાં થયું છે.
નીતિન પટેલે કહ્યું કે, વડાપ્રધાન મોદીએ સતત માર્ગદર્શન આપ્યું હતું અને તેમાં તેમણે આયુર્વેદિક દવાઓ પર ભાર મૂક્યો હતો અને તે માટે અમે કરોડો લોકોને ઇમ્યુનિટી માટે પડીકી અને ઉકાળા આપ્યા.