ભુજ: સ્વામિનારાયણ મંદિરના સાધુની કામલીલા મામલે મંદિરના ટ્રસ્ટી અને સંતોએ નિવેદન આપ્યુ છે. સંતોએ નિવેદન આપતા કહ્યુ કે ઓડિયો ક્લીપ વાયરલ થયા બાદ સમગ્ર ઘટનાની જાણ થઈ હતી. આ મામલે વડીલ સંતો દ્વારા તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવી છે. ટ્રસ્ટી અને સંતો દ્વારા ઓડિયો ક્લીપ સામે કાર્યવાહી કરવામાં આવશે.
મહત્વનુ છે કે ચંદ્રપ્રકાશ સ્વામીએ શનિવારે ખુલાસો કર્યો હતો. 12 સ્વામીઓ કામલીલામા જોડાયા હોવાનો ચંદ્રપ્રકાશે આક્ષેપ પણ કર્યો હતો. સાથે જ તમામ લોકો સામે કડક પગલા લેવાની માગ પણ કરી છે.
શું છે મામલો?
સમગ્ર મામલો ભૂજ નૂતન સ્વામિનારાયણ મંદિરનો છે. ચંદ્રપ્રકાશ સ્વામીની 15 દિવસ અગાઉ એક ઓડિયો ક્લીપ વાયરલ થઈ હતી. ક્લીપમાં ચંદ્રપ્રકાશ સ્વામી યુવતીના અશ્લીલ ફોટો અંગે કબૂલાત કરતા હતા. કેરાની યુવતીના અશ્લીલ ફોટો ચંદ્રપ્રકાશ સ્વામીના ફોનમાં મળી આવ્યા હતા. ભાંડો ફૂટતા સંતો પરેશાન કરતા હોવાનો લગાવ્યો આરોપ હતો. મંદિરના ત્રણ શિષ્યો કેરાની યુવતી સાથે અશ્લીલ વાતચીત કરતા હતા. તેવું જણાવ્યું હતું.
ચંદ્રપ્રકાશ સ્વામીનો શું છે આરોપ?
ચંદ્રપ્રકાશ સ્વામીએ કહ્યું કે મારા પર લગાવેલા આરોપ ખોટા છે. મંદિરમાં બધુ ખોટું ચાલી રહ્યું છે. મંદિરના ત્રણ શિષ્યો કેરાની યુવતી સાથે વાતચીત કરતા હતા. અશ્લીલ તસ્વીર ત્રણ શિષ્યોના ફોનમાંથી મળી આવી હતી. અશ્લીલ ફોટા તેમના ફોનમાંથી મે લીધા હતા. મારો ઈરાદો તે તમામને ખુલ્લા પાડવાનો હતો. પરંતુ ભાંડો ફૂટવાની બીકે મને ટાર્ગેટ કરાયો છે. મે મારા ફોનમાં ફોટા અન્ય સંતોને ઉઘાડા પાડવા લીધા હતા. 4 સંતોએ મને ધાકધમકી આપી અને ગોંધી રાખ્યો હતો.
બાદમાં મને સંતગણમાંથી હાકી કઢાયો હતો. દેવપ્રકાશ સ્વામીએ મને ધમકી આપી હતી. મને મીડિયા સાથ આપે તો હું અનેક સંતોને ઉઘાડા પાડું. મારી પાસે બળજબરીથી અશ્લીલ ફોટા અંગેની કબૂલાત કરાવી. કબૂલાત કરાવ્યા બાદ લેપટોપ-મોબાઈલમાંથી ફોટા ડિલીટ કરી દેવાયા હતા.