ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO) આવતીકાલે એટલે કે 11 ડિસેમ્બરે બપોરે 3.25 મિનિટે એક શક્તિશાળી ઈમેજિંગ સેટેલાઈટ છોડશે. તેનું નામ છે રીસેટ- 2 બીઆર1 (RiSAT-2BR1). તેના અંતરિક્ષમાં આવ્ચા બાદ ભારતની રડાર ઈમેજિંગની તાકાતમાં અનેક ગણો વધારો થઈ શકશે. આ સાથે જ દુશ્મનો પર નજર રાખવાનું કામ પણ સરળ બનશે. મુંબઈ હુમલા સમયે આતંક વિરોધી કામમાં પણ તેનો ઉપયોગ થતો હતો.
આવતીકાલે ઈસરો લોન્ચ કરશે રક્ષા સેટેલાઈટ
9 વિદેશી ઉપગ્રહોનું પણ આ સાથે થશે લોન્ચિંગ
21 મિનિટમાં સ્થાપિત થશે દરેક 10 ઉપગ્રહ
અહીંથી લોન્ચ કરવામાં આવશે રક્ષા સેટેલાઈટ
આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા દ્વીપ પરના સતીશ ધવન સ્પેસ સેન્ટરમાં આ લોન્ચિંગને જોવા લોકો આતુર છે. અહીં તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે. લોન્ચ વ્યૂ ગેલેરી દર્શકોની રાહ જોઈ રહી છે. અહીં લગભગ 5 હજાર લોકો એકસાથે બેસીને રોકેટના લોન્ચને જોઈ શકે છે.
#ISRO
Top view of #PSLVC48, prominently featuring the bulbous payload fairing that houses #RISAT2BR1 & 9 customer satellites.
Launch at 1525 hrs IST on December 11, 2019 pic.twitter.com/KJNe6P8hO0
ઈસરો પીએસએલવી-સી 48 ક્યૂએલ રોકેટની મદદથી RiSAT-2BR1ને તો લોન્ચ કરશે જ. આ સાથે જ તે અમેરિકાના 6, ઈઝરાયલ, જાપાન અને ઇટલીના પણ 1-1 સેટેલાઈટનું પ્રક્ષેપણ આ જ રોકેટથી કરશે.
#ISRO
Registrations for witnessing launch of #PSLVC48 / #RISAT2BR1 mission (scheduled on 11.12.2019 at 1525 hrs IST) from Launch View Gallery, SHAR Sriharikota will open from 06.12.2019 at 0800 hrs IST.
RiSAT-2BR1 દિવસ અને રાતે બંને સમયે કામ કરશે. આ માઇક્રોવેવ ફ્રિકવન્સી પર કામ કરનારું સેટેલાઈટ છે. આ માટે તેને રડાર ઈમેજિંગ સેટેલાઈટ કહેવાય છે.
RiSAT-2BR1 કેવી રીતે કરશે દેશની મદદ?
RiSAT-2BR1 કોઈ પણ સીઝનમાં કામ કરી શકે છે. આ સાથે તે વાદળની સ્થિતિમાં પણ ફોટા લઈ શકશે. પરંતુ આ ફોટા એવા નહીં આવે જેવા કેમેરાથી આવે છે. દેશની સેનાઓ સિવાય તે કૃષિ, જંગલ અને મુશ્કેલીવાળા વિભાગોને મદદ કરશે.
મુંબઈ હુમલા બાદ કરવામાં આવ્યો ફેરફાર
26/11ના મુંબઈ હુમલા પર થયેલા આંતકી હુમલા બાદ શરૂઆતના રીસૈટ સેટેલાઈટની ટેકનિકમાં ફેરફાર આવ્યો છે. આ હુમલા બાદ આ સેટેલાઈટની મદદથી સીમાઓની દેખરેખ કરવામાં આવી હતી. આતંકવિરોધી કામમાં આ સેટેલાઈટ ઉપયોગમાં લઈ શકાતી હતી.