ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO)ને કહ્યું કે ચંદ્રયાન-2નું 22 જુલાઇએ પ્રક્ષેપણ કરવામાં આવશે. ઇસરો દ્વારા આમ સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ગત 15 જુલાઇના રોજ ટેક્નિકલ ખામી સર્જાવાને કારણે લોન્ચિંગ ટાળવામાં આવી હતી.
ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન અનુસાર ચંદ્રયાન-2નું પ્રક્ષેપણ 22 જુલાઇએ બપોરે 2:43 વાગ્યે કરવામાં આવશે. બતાવામાં આવી રહ્યું હતું કે જો ચંદ્રયાન-2નું પ્રક્ષેપણ ટાળી દેવામાં આવે છે તો સપ્ટેમ્બર અથવા ઓક્ટોબરમાં જ તેનું પ્રક્ષેપણ સંભવ બની શકે છે. તેનું કારણ લોન્ચ વિન્ડોનો સચોટ સમય છે. લોન્ચ વિન્ડો એ સમય હોય છે જ્યારે પૃથ્વીથી ચંદ્રનું અંતર ઓછુ હોય છે. અને પૃથ્વીની ચારેય તરફ ચક્કર લગાવનાર ઉપગ્રહો અને અંતરિક્ષમાં કચરા સાથે ટકરાવાની સંભાવના ખૂબ જ ઓછી હોય છે.
Chandrayaan-2 launch, which was called off due to a technical snag on July 15, 2019, is now rescheduled at 2:43 pm IST on Monday, July 22, 2019. #Chandrayaan2#GSLVMkIII#ISRO
આપને જણાવીએ કે ચંદ્રયાન-2નું પ્રક્ષેપણ 15 જુલાઇએ લોન્ચથી માત્ર 56.24 મિનિટ પહેલા રોકી દેવાયું હતું. ચંદ્રયાન-2ને 2.51 વાગ્યે સૌથી તાકાતવર રોકેટ GSLV-MK3 થી લોન્ચ કરવામાં આવવાનું હતું પરંતુ 56.24 મિનિટ પહેલા કાઉન્ટડાઉન રોકી દેવાયુ હતું.
ઇસરોના પ્રવક્તા બીઆર ગુરુપ્રસાદે ઇસરોની તરફથી નિવેદન આપ્યું હતું કે જીએસએલવી-એમકે3 લોન્ચ વ્હીકલ (રોકેટ)માં ખામી આવવાને કારણે પ્રક્ષેપણ રોકી દેવામાં આવ્યું.