ચંદ્રયાન માટે આવતીકાલનો દિવસ ઘણો મહત્વનો રહેશે કારણ કે ચંદ્રયાન આવતીકાલે ચંદ્રની કક્ષામાં દાખલ થશે. હાલમાં ચંદ્રયાન ચંદ્ર તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. ચંદ્રયાનને લોન્ચ થયાને 28 દિવસ થઈ ચુક્યા છે અને સંપૂર્ણ આયોજન મુજબ જ 29માં દિવસે ચંદ્રયાન ચંદ્રની ભ્રમણ કક્ષામાં દાખલ થઈ જશે.
ઉલ્લેખનીય છે કે, ઈસરોના ચીફ કે.સિવાનનું માનવું છે કે ચંદ્રયાન માટે પડાવ ઘણો મુશ્કેલ છે. પણ ઈસરોને આ પડાવમાં પણ સફળતા મળશે. ચંદ્રની કક્ષામાં દાખલ થવા માટે યાનની ગતિમાં ઘટાડો કરવો પડશે. ચંદ્રયાન 31 ઓક્ટોબર સુધી ચંદ્રની ફરશે પરિક્રમા કરશે અને ત્યાર બાદ 7 સપ્ટેબરના રોજ દક્ષિણ ધ્રુવ પર યાન લેન્ડ થશે.
વૈજ્ઞાનિકો માટે પણ સમયની કસોટીનો સમય
ઇસરોના અધ્યક્ષ ડો. કે. સિવાને જણાવ્યું હતું કે ચંદ્રયાન -2 ચંદ્રની કક્ષામાં જતા સમયે સખત પરીક્ષામાંથી પસાર થશે. ચંદ્રની ગુરુત્વાકર્ષણ શક્તિ 65000 કિ.મી. સુધી ચાલે છે. આવી સ્થિતિમાં ચંદ્રયાન -2 ની ગતિ ઓછી કરવી પડશે.
નહીંતર, ચંદ્રની ગુરુત્વાકર્ષણ શક્તિના પ્રભાવમાં આવી તે તેની સાથે ટકરાઇ પણ શકે છે. ગતિ ઘટાડવા માટે, ચંદ્રયાન -2 ની ઓનબોર્ડ પ્રોપલ્શન સિસ્ટમ થોડા સમય માટે કાર્યરત થશે. આ સમય દરમિયાન, એક નાની પણ ભૂલ યાનને અનિયંત્રિત કરી શકે છે. આ માત્ર ચંદ્રયાન -2 જ નહીં પણ વૈજ્ઞાનિકો માટે પણ સમયની કસોટી હશે.
ઇસરો માટે કેમ મહત્વપૂર્ણ છે ચંદ્રયાન-2
નવેમ્બર 2007માં રશિયા અંતરિક્ષ એજન્સી રોસકોસમોસે કહ્યું હતું કે તે આ પ્રોજેક્ટમાં સાથે કામ કરશે. તે ઇસરોને લેન્ડર આપશે. 2008માં આ મિશનને સરકારની અનુમતિ મળી. 2009માં ચંદ્રયાન-2ની ડિજાઇન તૈયાર કરવામાં આવી. જાન્યુઆરી 2013માં લોન્ચિંગ નક્કી હતું. જોકે, રશિયન અંતરિક્ષ એજન્સી રોસકોસમોસ લેન્ડર ન આપી શકી. ઇસરોએ ચંદ્રયાન-2ની લોન્ચિંગ માર્ચ 2018માં નક્કી કરી હતી. પરંતુ કેટલાક ટેસ્ટ માચે લોન્ચિંગને એપ્રિલ 2018 અને ફરિ ઓક્ટોબર 2018 સુધી ટાળવામાં આવી.
જૂન 2018માં ઇસરોએ નિર્ણય લીધો કે કેટલાક બદલાવ સાથે ચંદ્રયાન-2ની લોન્ચિંગ 2019માં કરવામાં આવશે. આ સફળતાથી સ્પષ્ટ છે કે ભારતના વૈજ્ઞાનિક કોઇના આધિન નથી. એ કોઇ પણ મિશન પૂર્ણ કરી શકે છે. આ પહેલા અમેરિકા, રશિયા અને ચીન ચંદ્ર પર લેન્ડર અને રોવર ઉતારી ચૂક્યા છે.