ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઇસરો)એ શ્રી હરિકોટાથી એસએલવી-સી46થી રડાર ઇમેજિંગ અર્થ સેટેલાઇટ (રિસેટ-2બી) લોન્ચ કર્યો છે. ઇસરોના જણાવ્યા અનુસાર પીએસએલવી રોકેટે રિસેટ-2બીને લઇને સવારે 5.27 મિનીટ પર ઉડાન ભરી છે. સેટેલાઇટના સફળ લોન્ચિંગ બાદ ભારતની સુરક્ષા વધુ મજબૂત બની જશે. આ સેટેલાઇટ અંતરિક્ષમાં ભારતની 'આંખ'નું કામ કરશે.
આ સેટેલાઇટની મદદથી ભારતના સુરક્ષા દળોને આંતરરાષ્ટ્રીય સરહદ પર નજર રાખવામાં ઘણી સહાયતા મળશે. આ સેટેલાઇટની મદદથી પાકિસ્તાનના કબ્જા હેઠળના કાશ્મીર (પીઓકે)માં આતંકી કેમ્પની ગતિવિધીઓ પર આસાનાથી નજર રાખી શકાશે. ઉલ્લેખનીય છે કે આ સેટેલાઇટનો ઉપયોગ સમારકામ પ્રવૃત્તિઓ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, સ્ટ્રેટેજિક એકાઉન્ટ માટે થશે. આ ઉપગ્રહ પપપ કિલોમીટરની ઊંચાઇ પર સ્થાપિત કરાશે. રિસેટ-રનાં લગભગ સાત વર્ષ બાદ ભારતીય-રડાર ઇમેજિંગ ઉપગ્રહોની સિરીઝમાં રિસેટ-રબીનું લોન્ચિંગ કરાયું છે.
વાદળ છવાયેલાં હોય ત્યારે રેગ્યુલર રિમોટ સેન્સિંગ અથવા ઓપ્ટિકલ ઇમેજિંગ સેટેલાઇટ જમીન પર રહેલી વસ્તુઓની સ્થિતિ યોગ્ય રીતે દર્શાવી શકતું નથી. ‘સાર’ આ કમીને પૂર્ણ કરશે. દરેક મોસમમાં ભલે રાત હોય, વાદળ હોય કે વરસાદ હોય ઓબ્જેક્ટની યોગ્ય તસવીર જારી કરશે, તેનાથી ડિઝાસ્ટરના કામમાં લાગેલા લોકો અને સુરક્ષાદળોને મદદ મળશે.
અંતરિક્ષમાં ભારતને વધુ એક સફળતા મળી છે. ઇસરોએ અંતરિક્ષ કેન્દ્રથી PSLVC46 લોન્ચ કર્યો છે. આ સાથે જ સફળતા પૂર્વક RISAT-2B રડાર સેટેલાઇટને 555 કિ.મી ઉંચાઇ ધરાવતા સેટેલાઇટને અર્થ ઓર્બિટમાં ઇજેન્કટ કરવામાં આવ્યો છૈ. આ સેટેલાઇટથી ગુપ્ત માહિતી મળી શકશે, જાસૂસી કરી શકાશે. કૃષિ અને વન અને આફત સમયે રાહત કાર્યોમાં મદદ કરશે.
ઇસરોએ નજીકના ભવિષ્યમાં રિસેટ જેવા કમસે કમ છ સેટેલાઇટ લોન્ચ કરવાની યોજના બનાવી છે તેમાં રિસેટ-રબી બાદ રિસેટ-રબીઆર-૧, રિસેટ-રબીઆર-ર, રિસેટ-૧એ, રિસેટ-૧બી, રિસેટ-રએ મુખ્ય છે. આ તમામ સેટેલાઇટ અંતરિક્ષમાં લગભગ પ૦૦ કિ.મી.ની ઊંચાઇથી દેશની ઓળખ ક્ષમતા વધારશે.