ચંદ્રયાન 2ના લેન્ડર વિક્રમને લઇે એક મોટા સમાચાર મળ્યા છે. ઇસરો મુજબ વિક્રમ સુરક્ષિત છે અને કોઇપણ પ્રકારનું ડેમેજ થયું નથી. ઇસરોના અધિકારીએ કહ્યું કે અમે લેન્ડરની સાથે સંચારને ફરી સ્થાપિત કરવાનો તમામ રીતે પ્રયાસ કરી રહ્યા છીએ.
એમણે કહ્યું કે અમે આશા છોડી નથી. શનિવારે જ્યારે ચંદ્રની સપાટીથી માત્ર 2.1 કિલોમીટરના અંતરે લેન્ડર વિક્રમ હતું, એ સમયે જ ઇસરોનો સંપર્ક તુટી ગયો હતો. રવિવારે ઇસરોએ ચંદ્રની સપાટી પર લેન્ડર વિક્રમનું લોકેશન શોધ્યું હતું. ખુદ ઇસરોના ચેરમેન કે સિવને તેની પુષ્ટી કરી હતી. ઇસરો અનુસાર ઓર્બિટરે વિક્રમ લેન્ડરની એક થર્મલ ઇમેજ પણ ક્લિક કરી હતી.
ISROના વિશ્વસનીય સૂત્રો મુજબ ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડરમાં એવી ટેકનોલોજી છે જે પડી ગયા બાદ પણ ઉભુ થઇ શકે છે. પરંતુ તેના માટે જરૂરી છે કે તેની કોમ્યુનિકેશન સિસ્ટમ સાથે સંપર્ક થવો જોઇએ અને તે ઇસરો દ્વારા મોકલવામાં આવેલા કમ્પ્યૂટર કમાન્ડને રિસીવ કરી શકે.
વિક્રમ લેન્ડરમાં ઓનબોર્ડ કમ્યૂટર છે. તે જાતે જ ઘણા કામ કરી શકે છે. વિક્રમ લેન્ડરના પડી ગયા બાદ તેનું એન્ટીના દબાઇ ગયું છે જેના દ્વારા કમ્મૂનિકેશન સિસ્ટમને કમાન્ડ મોકલી શકાતા હતા. અત્યારે ઇસરોના વૈજ્ઞાનિકો એ પ્રયત્ન કરી રહ્યાં છે કે કોઇપણ રીતે એ એન્ટીના દ્વારા વિક્રમ લેન્ડરને ફરી પોતાના પગ પર ઉભું કરવાનો કમાન્ડ આપી શકે.