નવી દિલ્હીઃ ઈસરો આજે GSLV માર્ક થ્રીડી-2 મિશન શ્રી હરિકોટાના સતીશ ધવન અંતરીક્ષ કેન્દ્રથી લોન્ચ કરશે. ભારતના ઉચ્ચપ્રવાહની ક્ષમતા વાળા ઉપગ્રહ જીસેટ-29નું પ્રક્ષેપણ કરશે. જો કે આ લોકાર્પણ હવામાનને ધ્યાને લઈને કરવામાં આવશે.
GSLV માર્ક થ્રીડી-2 ને વિષૃવૃતની જરૂરી દિશાના ઝુકાવને ધ્યાને રાખીને સ્થાપીત કરાશે. જેને લઈને તમામ તૈયારીઓ પૂરી કરાઈ છે. ભારતીય અંતરિક્ષ અનુસંધાન પરિષદે પોતાની વેબસાઈટ પર આ મામલે માહિતી આપી હતી.
Indian Space Research Organisation will launch GSLV-MK-III D2 carrying GSAT-29 satellite from Satish Dhawan Space Centre Sriharikota in #AndhraPradesh tomorrow at 17:08 (IST): ISRO pic.twitter.com/cP7Axmc2e0
ઉપગ્રહમાં પ્રોપલ્શન સિસ્ટમનો ઉપયોગ કરીને તેને અંતરીક્ષની કક્ષામાં મુકાશે. પ્રક્ષેપકથી અલગ થઈને નિર્ધારીત કક્ષામાં પહોંચાડવામાં થોડા દિવસનો સમય લાગવાનું અનુમાન છે. જીસૈટ-29 કોમ્યુનિકેશન સેટેલાઇટ છે અને તેનું વજન લગભગ 3 423 કિલોગ્રામ છે. તેને 10 વર્ષના મિશનકાળને ધ્યાને રાખીને તૈયાર કરાયો છે.