ઈસરોએ કોરોનાની અસર દેશના મહત્વકાક્ષી અંતરિક્ષ અભિયાન પર ન પડે તે માટે કમર કસી છે. પહેલીવાર અંતરિક્ષમાં માનવ લઈ જનારા મિશન ગગનયાન પણ આમાનું એક છે. ઈસરોએ ભારતીય માનવ અંતરિક્ષ કાર્યક્રમ અને સ્પેસ રિસર્ચ સાથે જોડાયેલી સ્વદેશી ટેક્નીક વિકસાવવા પ્રસ્તાવ માંગ્યો છે.
ઈસરોએ પ્રૌદ્યોગિકી વિકસિત કરવા માટે પ્રસ્તાવ માંગ્યા છે
ચાર ફાઈટર વિમાનના પાયલોટોનું અંતરિક્ષ પ્રશિક્ષણ ચાલી રહ્યુ છે
મિશન ગગનયાન 2022 માં લોન્ચ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે
ઈસરોમાં માનવ અંતરિક્ષ કાર્યક્રમ નિર્દેશાલયે 18 સંભવિત વિસ્તારો માટે પ્રૌદ્યોગિકી વિકસિત કરવા માટે પ્રસ્તાવ માંગ્યા છે. આ વિસ્તારોમાં રેડિયેશના ખતરાની ઓળખ તથા તેને ઓછી કરવાની ટેક્નીક, અંતરિક્ષ ભોજન સાથે જોડાયેલી પ્રોદ્યોગિકી, માનવ રોબોટિક ઈન્ટરફેસ, પર્યાવરણ નિયંત્રણ તંત્ર અને લાઈફ સપોર્ટ સિસ્ટમ, લાંબી અવધિના મિશનો માટે માનવીય મનોવિજ્ઞાન અને કૃત્રિમ ગુરુત્વાકર્ષમ સાથે જોડાયેવી પ્રોદ્યોગિકનો સમાવેશ થાય છે. એટલા માટે 15 જુલાઈ સુધી પ્રસ્તાવ જમા કરાવવાની ડેડલાઈન નક્કી કરવામાં આવી છે.
નિર્દેશાલયનું કહેવું છે કે પ્રસ્તાવોનું તારવણી માટે ઈસરો એક સિમિતિની રચના કરશે. જે વૈજ્ઞાનિક લાભ, પ્રાસંગિક્તા, તકનીકી વિષય વસ્તુ અને વ્યવહારિકતાના પાસાઓને ધ્યાનમાં રાખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે મિશન ગગનયાન 2022 માં લોન્ચ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ સમયે રુસના માસ્કોમાં ભારતીય વાયુસેનાના ચાર ફાઈટર વિમાનના પાયલોટોનું અંતરિક્ષ પ્રશિક્ષણ ચાલી રહ્યુ છે. એ લગભગ નક્કી છે કે આ મિશન માટે તે ઉમેદવાર છે.