ચંદ્રયાન 2ના લૅન્ડર વિક્રમથી સંપર્કની આશા હવે સંપૂર્ણપણે ખતમ થઈ ગઈ છે. જો કે ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO)ના અધ્યક્ષ સિવનમાં શનિવારે ગગનયાનને લઈને એક નવો જોશ જોવા મળ્યો. તેમણે જણાવ્યું કે દેશ ડિસેમ્બર 2021 સુધી મનુષ્યને અંતરિક્ષમાં મોકલવાનું પોતાનું લક્ષ્ય પૂરું કરવા માટે કામ કરી રહ્યું છે.
2020 ડિસેમ્બર સુધી પ્રથમ માનવરહિત મિશન
ડિસેમ્બર 2021 સુધીમાં સૌપ્રથમ કોઈ ભારતીયને પોતાના રૉકેટ દ્વારા અંતરિક્ષમાં મોકલીશું
આ મિશન પર લગભગ 10 હજાર કરોડ રૂપિયાનો ખર્ચો આવશે
ઈસરો અધ્યક્ષે જણાવ્યું કે અમને એ પૂછવામાં આવી રહ્યું છે ગગનયાન કેવી રીતે આપણા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે? આવામાં હું લોકોને જણાવવા માંગુ છું કે ગગનયાન ભારત માટે અત્યંત મહત્વપૂર્ણ છે કારણ કે આ દેશની વિજ્ઞાન અને અભ્યાસ ક્ષમતામાં વધારો કરશે. 2020 ડિસેમ્બર સુધી અમે માનવ અંતરિક્ષ વિમાનનું પ્રથમ માનવરહિત મિશન કરવા જઈ રહ્યાં છીએ.
ISRO Chief K Sivan: There are questions - in what way Gaganyaan is going to be useful? Gaganyaan is extremely important for India as it'll boost the science&technology capability of the country. By 2020 December we're going to have the first unmanned mission of human space plane. pic.twitter.com/i2Z4hZEJ32
ભારતના કોઈ પણ ભારતીયને પોતાના રૉકેટમાં અંતરિક્ષમાં મોકલવાનું સપનું જલ્દીથી પૂર્ણ થવાનું છે. કે સિવને જણાવ્યું કે બીજું માનવરહિત માનવ અંતરિક્ષ વિમાન માટે અમારું લક્ષ્ય જુલાઈ 2021 સુધીનું છે. જ્યારે ડિસેમ્બર 2021 સુધી અમે સૌપ્રથમ વખત કોઈ ભારતીયને પોતાના રૉકેટ દ્વારા અંતરિક્ષમાં મોકલીશું. આ અમારું લક્ષ્ય છે અને ISRO માં હાલ સૌ કોઈ તેના પર કામ કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે અગાઉ 6 સપ્ટેમ્બરના રોજ ભારતીય વાયુસેનાએ જાહેરાત કરી હતી કે ગગનયાન માટે પાયલટની પસંદગી કરી લેવાઈ છે. આ પસંદગી માટે પાયલટ્સના અલગ અલગ પ્રકારના ફીઝીકલ ટેસ્ટ કરાયા હતાં. ટ્રેનિંગ માટે અંતરિક્ષયાત્રીઓને રશિયા મોકલવામાં આવશે. મહત્વનું છે કે આ ટ્રેનિંગ માટે ઈસરોએ રશિયાની સ્પેસ એજન્સી ગ્લાવકોસ્મોસ સાથે ચાલુ વર્ષના જુલાઈ મહિનામાં કરાર કર્યો હતો.
ISRO Chief K Sivan: The 2nd unmanned human space plane, we are targeting for July 2021. By December 2021 the first Indian will be carried out, by our own rocket, to space. This is our target, everybody at ISRO is working on that. https://t.co/CftiwoNaH1
આ વર્ષે મે મહિનામાં વાયુસેનાએ ઇસરો સાથે ગગનયાન મિશન માટે ક્રૂ સિલેક્શન અને ટ્રેનિંગ ઉપલબ્ધ કરાવવા અંગે કરાર કર્યો હતો. તે અંતર્ગત ડિસેમ્બર 2021માં ગગનયાન માટે ત્રણ વૈજ્ઞાનિકોની એક ટીમ મોકલવાની છે જે ઓછામાં ઓછા સાત દિવસ અંતરિક્ષમાં પસાર કરશે. આ યાનને GSLV માર્ક-3 દ્વારા અંતરિક્ષમાં મોકલવામાં આવશે.
ગગનયાન માટે 10 હજાર કરોડનો ખર્ચ
ગગનયાન મિશનની જાહેરાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 15 ઓગષ્ટ 2018ના લાલ કિલ્લા પરથી કરી હતી. આ મિશન પર લગભગ 10 હજાર કરોડ રૂપિયાનો ખર્ચો આવશે. તેના માટે ગત વર્ષેજ કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી દીધી હતી.
ચંદ્રયાન 2માં 98 ટકા લક્ષ્યોને હાંસલ કરી લેવાયા
ઈસરો પ્રમુખ કે સિવને જણાવ્યું કે ભલે લૅન્ડર વિક્રમથી આપણે સંપર્ક કરી ન શક્યાં પરંતુ મિશન ચંદ્રયાન 2ના 98 ટકા લક્ષ્યોને પ્રાપ્ત કરી લેવાયા છે. આ મિશનના બે ભાગ હતાં. પ્રથમ વિજ્ઞાન જ્યારે બીજુ ટૅકનોલોજી પ્રદર્શન હતું. આપણે વિજ્ઞાન નામના વિભાગમાં તમામ લક્ષ્યોને હાંસલ કરી લીધા છે.