ઇસરો ચીફ ડૉ. કે. સિવને લોન્ચ કરેલી સફળતા બાદ મિશન કંટ્રોલ સેન્ટરમાં હાજર તમામ વૈજ્ઞાનિકોને શુભકામના પાઠવી. તેઓએ જણાવ્યું કે ચંદ્રયાન-2ના સફળ લોન્ચિંગ દેશને માટે ઐતિહાસિક દિવસ છે. ચંદ્રયાન-2નુ લોન્ચિંગ અમારી આશાથી વધારે સારુ રહ્યું છે. જીએસએલએવી-એમકે3 રૉકેટે નક્કી કરેલ સમય પર ચંદ્રયાન-2ને તેની નિર્ધારિત કક્ષામાં પહોંચાડી દીધેલ છે. ડૉ. સિવને જણાવ્યુ કે, અમારા ચંદ્રયાન-2માં વધારે ઇંધણ છે. તેની લાઇફલાઇન પણ વધારે છે.
ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO)નુ બીજુ મૂન મિશન Chandrayaan-2 સફળતાપૂર્વક લોન્ચ થઇ ગયુ છે. ચંદ્રયાન-2ને 22 જુલાઇનાં બપોર 2:43 વાગ્યે દેશનાં સૌથી તાકાતવર બાહુબલી રૉકેટ GSLV-MK3 દ્વારા લોન્ચ કરવામાં આવ્યુ છે. હવે ચંદ્રના દક્ષિણી ધ્રુવ સુધી પહોંચવા માટે ચંદ્રયાન-2ની 48 દિવસની યાત્રા શરૂ થઇ જશે. અંદાજે 16.23 મિનીટ બાદ ચંદ્રયાન-2 પૃથ્વીથી અંદાજે 182 કિમીની ઉંચાઇ પર જીએસએલવી-એમકે3 રૉકેટથી અલગ થઇને પૃથ્વીની કક્ષામાં ચક્કર લગાવવાનુ શરૂ કરશે.
ઇસરો ચીફ ડૉ. કે. સિવને લોન્ચ કરેલી સફળતા બાદ મિશન કંટ્રોલ સેન્ટરમાં હાજર તમામ વૈજ્ઞાનિકોને શુભકામના પાઠવી. તેઓએ જણાવ્યું કે ચંદ્રયાન-2ના સફળ લોન્ચિંગ દેશને માટે ઐતિહાસિક દિવસ છે. ચંદ્રયાન-2નુ લોન્ચિંગ અમારી આશાથી વધારે સારુ રહ્યું છે. જીએસએલએવી-એમકે3 રૉકેટે નક્કી કરેલ સમય પર ચંદ્રયાન-2ને તેની નિર્ધારિત કક્ષામાં પહોંચાડી દીધેલ છે. ડૉ. સિવને જણાવ્યુ કે, અમારા ચંદ્રયાન-2માં વધારે ઇંધણ છે. તેની લાઇફલાઇન પણ વધારે છે. કેમ કે અમે ઓર્બિટમાં ઉત્તમ રીતે સ્થાપિત કરી દીધેલ છે.
15 જુલાઇનાં રોજ થયેલી ટેક્નિકલ ખામીને લઇને ઇસરો ચીફ ડૉ. કે. સિવને જણાવ્યું કે, ઇસરો વૈજ્ઞાનિકોએ 24 કલાકની અંદર જ ટેક્નિકલ ખામીને ઠીક કરી દીધી હતી. ગયા એક સપ્તાહથી અમારા વૈજ્ઞાનિક દિવસ રાત જાગતા રહ્યાં, જેથી ચંદ્રયાન-2ની લોન્ચિંગ સફળ થાય. આ વખતે જીએસએલવી-એમકે 3 રૉકેટની ક્ષમતામાં પણ 15 ટકાનો નફો કર્યો છે. આ અત્યાર સુધીનુ સૌથી મોટું તાકાતવર રૉકેટ છે.
ડૉ. કે. સિવને જણાવ્યું કે, હવે ચંદ્રયાન-2 સેટેલાઇટ મિશન સાથે જોડાયેલ વૈજ્ઞાનિક આગામી 48 દિવસોમાં અંતરિક્ષ યાત્રા દરમ્યાન ચંદ્રયાન-2ની 15 વાર સ્થિતિ બદલશે. હજી અમારું કામ પૂર્ણ નથી થયું. હજી અમારે અને અમારી ટીમને સતત કામ કરવાનું છે. ઇસરો આટલેથી જ નહીં રોકાય. આ વર્ષનાં અંત સુધી વધુ એક મહત્વપૂર્ણ સેટેલાઇટ કાર્ટોસૈટ-3નું લોન્ચિંગ કરશે.
ચંદ્રયાન-2નાં 48 દિવસ સુધીનો યાત્રાનો પડાવઃ
ચંદ્રયાન-2 અંતરિક્ષ યાન 22 જુલાઇથી લઇને 13 ઓગસ્ટ સુધી પૃથ્વીની ચારે તરફ ચક્કર લગાવશે. ત્યાર બાદ 13 ઓગસ્ટથી 19 ઓગસ્ટ સુધી ચંદ્ર તરફ જનારી લાંબી કક્ષામાં યાત્રા કરશે. 19 ઓગસ્ટના રોજ આ ચંદ્રની કક્ષામાં પહોંચશે. ત્યાર બાદ 13 દિવસ એટલે કે 31 ઓગસ્ટ સુધી તે ચંદ્રની ચારે બાજુ ચક્કર લગાવશે. પછી 1 સપ્ટેમ્બરના રોજ વિક્રમ લેન્ડર ઓર્બિટરથી અલગ થઇ જશે અને ચંદ્રના દક્ષિણી ધ્રુવ તરફ યાત્રા શરૂ કરશે. પછી 5 દિવસની યાત્રા બાદ 6 સપ્ટેમ્બરનાં રોજ વિક્રમ લેન્ડર ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર લેન્ડ કરશે.