ભારતીય અંતરીક્ષ અનુસંધાન સંસ્થાન એટલે કે ISRO હવે ફરીથી એક મોટા અવકાશી મિશનને અંજામ આપવાની તૈયારી કરી રહ્યું છે. સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર ISRO હવે આગામી વર્ષ 2021ના અંત સુધીમાં ગગનયાનનું લોન્ચિંગ કરી શકે છે, પરંતુ માહિતી મુજબ આ ક્રૂરહિત મિશન હશે.
ISRO લોન્ચ કરશે ક્રૂરહિત મિશન
ગગનયાન પ્રોજેક્ટનો ભાગ છે આ મિશન
બની શકે તો બે મિશન લોન્ચની ISRO ની યોજના
ISRO આ મિશનને પહેલા 2020માં લોન્ચ કરવા માંગતુ હતું, પરંતુ કોવિડ મહામારીના લીધે તેના સમય પત્રકને અનુસરી શકાયું નહોતું અને હવે આ મિશનને આગામી વર્ષના અંત સુધીમાં લોન્ચ કરી શકાય તેની શક્યતાઓ છે.
સ્વદેશી અવકાશી રોબોટને પણ સાથે મોકલવામાં આવશે
પ્રાપ્ત જાણકારી મુજબ આ મિશન સાથે એક અવકાશી રોબોટ મોકલવાની પણ ISRO ની યોજના છે અને આ મિશન ISRO ના મહત્વાકાંક્ષી અવકાશયાત્રી મિશનનો જ એક ભાગ છે જેમાં એક ક્રૂરહિત મિશનની યોજના હતી, અને જે અવકાશી રોબોટને આ મિશનની સાથે મોકલવાની યોજના છે, તે સ્વદેશી ધોરણે વિકસિત VYOMMITRA હશે.
કોરોનાના લીધે અટકી ISRO ની અવકાશી ગાડી
કોરોનાના લીધે જેમ ઘણા બધા ક્ષેત્રો પ્રભાવિત થયા છે તેમ જ કોરોના ના લીધે ISRO ના આયોજનો પણ પ્રભાવિત થયા છે, ISRO પ્રમુખ ડો. સિવાને એવા મતલબની વાત કરી હતી કે આગામી વર્ષે જે પણ અવકાશી આયોજનો ISRO કરવા ધારે છે તે કોરોના ની સ્થિતિ પર નિર્ભર કરે છે, જો સ્થિતિ સારી રહેશે તો આયોજન મુજબ થશે અથવા ફરીથી મિશનના આયોજનોમાં ફેરફાર કરવો પડશે.
પ્રાઇવેટ સેકટર પણ ભૂમિકા નિભાવશે
મહત્વની વાત એ છે કે ISRO ના આ અતિમહત્વાકાંક્ષી અવકાશી મિશનમાં પ્રાઇવેટ સેક્ટરની કંપનીઓ પણ ભૂમિકા નિભાવી રહી છે, ભારતની નામાંકિત એન્જિનિયરિંગ કંપની L&T ની પણ આ મિશનમાં મહત્વની ભૂમિકા છે. તે લોન્ચ વ્હીકલનું હાર્ડવેર બનાવે છે અને તેને સમયસીમા પહેલા ડિલીવર પણ કરી દેવાયું છે.