ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)કોરોનાને કારણે આજ કાલ રોકેટ કે સેટેલાઈટ નથી છોડી રહ્યા. એનો મતલબ એ નથી કે ઈસરો બંધ છે. અહીં આગલા મિશનની તૈયારી ચાલી રહી છે. આપણા વૈજ્ઞાનિકોમાંથી કેટલાક પોતાના ઘરેથી તો કેટલાક સેન્ટરો પરથી કામ કરી રહ્યા છે. પરંતુ આ દરમિયાન ઈસરોના 2 સેન્ટર કોરોનાને હરાવવા સેનેટાઈઝર અને વેન્ટિલેટર્સ બનાવી રહ્યા છે.
વીજળી વગર ચાલતા વેન્ટિલેટર્સ બનાવ્યા
માસ્ક અને સેનેટાઈઝર બનાવી રહ્યું છે ઈસરો
ઓક્સિઝન ટીન પણ તૈયાર કરી રહ્યું છે ઈસરો
વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર એટલે કે VSSCના ડિરેક્ટર અને દેશના વરિષ્ઠ વૈજ્ઞાનિક એસ. સોમનાથે થોડાક દિવસો પહેલા સ્થાનીક મીડિયાને જણાવ્યુ હતું કે તેઓ અહીં સેનેટાઈઝર્સ અને વેન્ટિલેટર્સ બનાવી રહ્યા છે. તેમજ તે લોકોમાં પહેંચી રહ્યા છે.
નોંધનીય છે કે ઈસરોનું VSSC સેન્ટરે રોકેટ બનાવવામાં મહારત મેળવી છે. અહીં બનેલા રોકેટમાંથી જ શ્રી હરિકોટાથી લોન્ચિંગ થાય છે. જ્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારે ઈસરો પાસે મદદ માંગી કે તેઓ કોરોના સામે લડવા મદદ કરે તો ઈસરોએ સેનેટાઈઝર્સ અને વેન્ટિલેટર્સ બનાવવાની વાત કરી હતી.
આવી જ રીતે સતીશ ધવન સ્પેસ સેન્ટર એટલે કે SDSC શ્રી હરિકોટા સેન્ટરમાંથી પણ દેશના સૌથી સારા રોકેટ અને સેટેલાઈટ છોડવામાં આવે છે. ત્યારે આ સેન્ટરમાં પણ હાલ સેનેટાઈઝરનું પ્રોડક્શન કરવામાં આવી રહ્યું છે.
આ સેનેટાઈઝર્સ બજારમાં મોકલતા પહેલા ઈસરો પોતાના તમામ કર્મચારીઓ અને વૈજ્ઞાનિકોને આપ્યા છે. આ બાદ સેનેટાઈઝરને દ.ભારતના કેટલાય રાજ્યોમાં સપ્લાય કરશે. જેથી બજારમાં ઊભી થતી ઘટને પહોંચી વળાય.
એટલું જ નહી ઈસરોના બાકીને સેન્ટરોમાં માસ્ક અને ઓક્સીજનના ટીન બનાવવામાં આવી રહ્યા છે. જેથી વિસમ પરિસ્થિતિઓમાં દેશને મદદ મળી રહે. VSSC એવુ વેન્ટિલેટર બનાવી રહ્યા છે તે વીજળી ન હોય ત્યારે પણ તે કાર્યરત રહી શકે.
VSSC ના ડાયરેક્ટર એસ. સોમનાથે જણાવ્યું તે અમે અત્યાર સુધીમાં લગભગ 1500થી વધારે સૈનિટાઈઝર્સ બનાવી લોકોને આપ્યા છે. અમારા બનાવેલા માસ્ક પણ લોકોને આપવામાં આવી રહ્યા છે. જ્યારે પણ દેશ જરુર પડશે. ઈસરો હંમેશા સાથ આપશે.