પાકિસ્તાન અને તેના આતંકી કેમ્પ પર નજર રાખવા ભારતીય અંતરિક્ષ અનુસંદાન સંગઠન (ઇસરો) મોટી તૈયારીઓ કરી રહ્યું છે. આગામી 10 મહિનામાં ઇસરો 8 ઉપગ્રહ છોડશે. જેમાંથી 5 ઉપગ્રહ દેશની ધરતી અને પૃથ્વી પર નજર રાખશે. જો કે એવુ માનવામાં આવી રહ્યું છે કે આ બધા ઉપગ્રહ દેશની સરહદ પર નજર રાખવા માટે છે.
આ 5 ઉપગ્રહમાંથી એક કાટોસૈટ સીરીઝ અને 4 રીસેટના ઉપગ્રહ છે. જ્યારે અન્ય ત્રણ જીએસટ સીરીઝના છે. જીસેટ ઉપગ્રહનો ઉપયોગ સંચાર માટે કરવામાં આવે છે. જ્યારે સાથે-સાથે તેનો ઉપયોગ સેન્યદળની સુરક્ષિત કોમ્યુનિકેશન સિસ્ટમ માટે પણ કરવામાં આવે છે. ફેબ્રુઆરી 2020 સુધીમાં આ બધા ઉપગ્રહોની લોન્ચિંગ પુરી થવાની આશા છે.
પાકિસ્તાન પર કરવામાં આવેલ સર્જિકલ અને એર સ્ટ્રાઇક પર રીસેટ અને કાટોસેટ ઉપગ્રહની મદદ લેવામાં આવી હતી. રીસેટ દ્વારા અંતરિક્ષથી જમીન પર 3 ફુટ ઉંચાઇ સુધીના ફોટા લઇ શકાય છે. જ્યારે કાટૌસેટ-3 સેટેલાઇટનો કેમેરો એટલો તાકાતવર છે કે તે અંતરિક્ષથી જમીન પર 1 ફૂટથી પણ ઓછી ઉંચાઇ સુધીનો ફોટો લઇ શકે છે.
આમ તે તમારા હાથમાં પહેલ ઘડિયાળનો સમય પણ બતાવી શકે છે. આમ ઇસરો દ્વારે ગત છ મહિનામાં 3 આવા ઉપગ્રહ લોન્ચ કરવામાં આવ્યાં હતા. જેમાં નવેમ્બરમાં હાઇસિસ, જાન્યુઆરીમાં માઇક્રોસેટ-આર અને એપ્રિલમાં એમીસેટ છોડવામાં આવ્યાં હતા.