ચંદ્રયાન-2 મિશન બાદ ઇસરો(Indian Space Research Organisation)ને એક મોટો ઝટકો ભલે લાગ્યો હોય પરંતુ આ ઘટનાની આવનારા સમયના કોઇ મિશન પર અસર થશે નહીં. આ સાથે જ ઇસરોના વૈજ્ઞાનિકો શાંત બેસવાના નથી. એક તરફ તેઓ વિક્રમ લેન્ડર સાથે સંપર્ક સાધવાનો પ્રયાસ કરી રહ્યા છે તો બીજી તરફ ભવિષ્યના અભિયાનની તૈયારીઓ કરી રહ્યા છે.
નોંધનીય છે કે, આગામી 5 થી 7 વર્ષમાં ઇસરો એક એવા મિશનને અંજામ આપવા જઇ રહ્યું છે જેનાથી ભારત અંતરિક્ષ ક્ષેત્રમાં દુનિયાનો સૌથી અગ્રણી દેશ બની જશે. જેનાથી દુનિયાભરમાં ઇસરો અને ભારતના સ્પેસ પ્રોગ્રામને લઇને વર્તમાન ભરોષો વધુ મજબુત બનશે.
કાર્ટોસેટ-3 : ટળી શકે છે લોન્ચિગ
ઇસરોના વડા ડો. કે.સિવને તાજેતરમાં જ કહ્યું કે, ચંદ્રયાન-2 મિશન બાદ ઇસરો અને તેમના વૈજ્ઞાનિકો આરામ નહીં કરે. તે વધુ મોટા મિશન હાથ ધરશે. ડો. સિવને એક અગત્યની જાહેરાત કરતા કહ્યું કે, તેઓ આ વર્ષના સૌથી મોટું મિશન લોન્ચ કરવાના છે. આ મિશન (કાર્ટોસેટ-3) લોન્ચ થશે ત્યારે દેશના દુશ્મનોના હોશ ઉડી જશે.
કાર્ટોસેટ-3નું લોન્ચિગ ઓક્ટોબરમાં થનાર છે જે એક મહિના બાદ થઇ શકે છે. કારણ કે, અત્યારે તમામ વૈજ્ઞાનિક વિક્રમ લેન્ડર સાથે સંપર્ક શાધવાનો પ્રયાસ કરી રહ્યા છે. સાથે જ ચંદ્રયાન-2 મિશનનો ડેટા એનાલિસીસ કરી રહ્યા છે.
આદિત્ય L1 : સૂર્યની તાકાત તપાસવાનું કામ કરશે ઇસરો
ISRO એ પ્રથમ વખત 2020ના અંત સુધીમાં સૂર્યના વિવિધ આયામોની તપાસ કરવા માટે સોલર પ્રોબ મિશન આદિત્ય-L1 છોડશે. 400 કિલોગ્રામ ધરાવતું આદિત્ય-L1 ધરતીથી 15 લાખ કિલોમીટર ઉપર સ્થિત હૈલો ઓર્બિટમાં લગ્રાંજ-1 બિંદુની પાસે સ્થાપિત કરવામાં આવશે.
NISAR: દુનિયાનું સૌથી મોંઘુ અર્થ ઓબ્ઝરવેશન સેટેલાઇટ
આ પ્રોજેક્ટના સફળ થવા પર સમગ્ર દુનિયા ઇસરો અને ભારત પર નિસાર થઇ જશે. આ પ્રોજેક્ટનું આખું નામ છે- Nasa-Isro Synthetic Aperture Radar (Nisar).
અવતાર : અંતરિક્ષમાં વધશે યાત્રા, રોકેટ ખર્ચ વધશે
AVATAR- એટલે કે Aerobic Vehicle for Transatmospheric Hypersonic Aerospace Transportation જે ઇસરોની સૌથી મહત્વકાંક્ષી યોજના છે. આ મિશનને DRDO મદદ કરી રહ્યું છે.
શુક્રયાન : પાંચમો દેશ બનશે ભારત. જે શુક્ર પર મોકલશે મિશન
Indian Venusian orbiter MISION એટલે શુક્રયાન. ઇસરો મિશનને 2023 સુધીમાં તેને પૂર્ણ કરવામાં આવશે. આ મિશનના માધ્યમ થકી ISRO શુક્રના વાતાવરણનું અધ્યયન કરશે. આજે દુનિયાના 4 રાષ્ટ્રો અમેરિકા, રશિયા, જાપાન અને યુરોપિયન યુનિયને જ શુક્ર પર સફળતાપૂર્વક મિશન મોકલી શક્યા છે.
મંગળયાન-2 : 2022-23માં ઇસરો મંગળ પર ઉતારશે લેન્ડર-રોવર
2014માં ઇસરોના મંગળયાન મિશને પ્રથમ વખતમાં જ સફળતા હાંસલ કરી છે. ત્યારબાદ હવે ઇસરો મંગલયાન-2 મોકલશે.
ગગનયાન: ઇસરો અંતરિક્ષમાં કરવાશે સામાન્ય લોકોને વૈજ્ઞાનિક યાત્રા
ઇસરોનો આ મહત્વકાક્ષી પ્રોજેક્ટ છે ગગનયાન. જેના દ્વારા ઇસરો 3 યાત્રીઓને અંતરિક્ષમાં 7 દિવસમાં મોકલશે. આશા છે કે, આ મિશન 2022 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. આ પહેલા સપ્ટેમ્બર 2020 અને જુલાઇ 2021 માં માનવ રહિત ગગનયાનનું પ્રક્ષેપણ કરવામાં આવશે.
સ્પેડેક્સ : જ્યારે 2 સ્પેસક્રાફ્ટને અંતરિક્ષમાં જોડવામાં આવશે.
ઇસરોએ પોતાનું સ્પેસ સ્ટેશન બનાવવાની જાહેરાત કરી છે. હજી આ પ્રોજેક્ટને આગળ લઇ જવા માટે 10 કરોડ રૂપિયા સરકાર પાસેથી મળ્યા છે. સ્પેસ સ્ટેશન બનાવ્યા પહેલા જરૂરી છે અંતરિક્ષમાં 2 ઉપગ્રહોને જોડવાની ક્ષમતા હાંસલ કરવામાં આવે.