ભારત સરકારે Chandrayaan-2ની લોન્ચિંગથી ઠીક પહેલા ISRO વૈજ્ઞાનિકોના પગારમાં ઘટાડો કર્યો હતો. કેન્દ્ર સરકારે 12 જૂન 2019એ જાહેર કરેલ આદેશમાં કહ્યું છે કે ઇસરો વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોને વર્ષ 1996થી એક્સ્ટ્રા ઇનક્રિમેન્ટના રૂપે મળી રહેલ ઇન્સેન્ટિવ ગ્રાન્ટને બંધ કરવામાં આવી રહી છે. આ સ્થિતિ ત્યારે બની રહી છે જ્યારે ઇસરોના વૈજ્ઞાનિકોની ઉપલબ્ધિ પર આખા દેશને ગર્વ છે.
હવે ઇસરોના વૈજ્ઞાનિકોના સંગઠન સ્પેસ એન્જિનિયર્સ એસોસિએશન (SEA)એ ઇસરોના ચેરમેન ડૉ. કે. સિવનને પત્ર લખી માંગ કરી છે કે ઇસરો વૈજ્ઞાનિકોના પગારમાં ઘટાડો કરવાના કેન્દ્ર સરકારના આદેશને રદ્દ કરવામાં મદદ કરવામાં આવે. કેમકે વૈજ્ઞાનિકોની પાસે પગાર ઉપરાંત કમાણીનું અન્ય કોઇ સાધન નથી.
SEAના અધ્યક્ષ એ. મણિરમને ઇસરો ચીફને લખેલા પત્રમાં કહ્યું છે કે સરકારી કર્મચારીના પગારમાં કોઇપણ પ્રકારનો ઘટાડો ત્યાં સુધી નથી કરી શકાતો, જ્યા સુધી ખૂબ જ ગંભીર સ્થિતિ ન ઉભી થઇ જાય. પગારમાં ઘટાડો થવાને કારણે વૈજ્ઞાનિકોના ઉત્સાહમાં કમી આવશે. અમે કેન્દ્ર સરકારના નિર્ણયથી આશ્ચર્ય થયું છે અને ખૂબ જ દુખી છીએ.
SEAએ ઇસરો ચીફને લખેલા પત્રમાં આ માંગ મુકી
ઇસરો વૈજ્ઞાનિકો માટે બે એક્સ્ટ્રા ઇનક્રિમેન્ટની મંજૂરી રાષ્ટ્રપતિએ આપી હતી. જેથી દેશની વર્તમાન પ્રતિભાને ઇસરો વૈજ્ઞાનિક બનવા પ્રોત્સાહન મળે. સાથે જ ઇસરો વૈજ્ઞાનિકને પ્રેરણા મળે. આ એક્સ્ટ્રા ઇનક્રિમેન્ટ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ 1996માં અંતરિક્ષ વિભાગે લાગૂ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે આદેશમાં કહ્યું હતું કે આ ઇનક્રિમેન્ટને સ્પષ્ટ તરિકે પગાર માનવામાં આવે.
છઠ્ઠા પગાર પંચમાં પણ આ ઇનક્રિમેન્ટને ચાલુ રાખવાની સલાહ આપવામાં આવી હતી. સાથે કહેવામાં આવ્યું હતું કે તેનો લાભ ઇસરો વૈજ્ઞાનિકોને મળતો રહેવો જોઇએ. બે એક્સ્ટ્રા ઇનક્રિમેન્ટ એટલા માટે લાગૂ કરવામાં આવ્યો હતો કે આવનારા સમયમાં યુવા વૈજ્ઞાનિકોને નિયુક્તિના સમયે પ્રેરણા મળી શકે અને તે ઇસરોમાં લાંબા સમય સુધી કામ કરી શકે.
કેન્દ્ર સરકારના આદેશમાં પરફોર્મન્સ રિલેટેડ ઇન્સેન્ટિવ સ્કીમ (PRIS)નો ઉલ્લેખ છે. અમે એ બતાવવામાં માંગીએ છીએ કે ઇનક્રિમેન્ટ અને PRIS બંને પૂર્ણ રીતે અલગ-અલગ છે. એક ઇન્સેન્ટિવ છે, જ્યારે બીજો પગાર છે. બંને એકબીજાની પૂર્તિ કોઇપણ રીતે કરતા નથી. સરકારી કર્મચારીના પગારમાં કોઇપણ પ્રકારનો ઘટાડો ત્યાં સુધી નથી કરી શકાતો, જ્યાં સુધી ખૂબ જ ગંભીર સ્થિતિ ન ઉભી થઇ જાય.