ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO)ના વૈજ્ઞાનિક પોતાના બીજા મૂન મિશન Chandrayaan-2 ને લઇને સતત પૃથ્વીની કક્ષાથી આગળ વધી રહ્યું છે. 22 જુલાઇના લોન્ચિંગ બાદ આને પેરિજી (પૃથ્વીથી ઓછું અંતર) 170 કિમી અને એપોજી (પૃથ્વીથી વધારે અંતર) 45,475 કિમી પર સ્થાપિત કરવામાં આવ્યું હતું. આજે એટલે કે 6 ઓગસ્ટના બપોરના 2:30 વાગ્યાથી 3:30 વાગ્યાની વચ્ચે ચંદ્રયાન-2ની કક્ષામાં સફળતાપૂર્વક પાંચમી વાર ફેરફાર કર્યો.
હવે આની પેરિજી 276 કિમી અને એપોજી 142,975 કિમી કરી દેવામાં આવી છે. હવે ત્યાર બાદ 15 ઓગસ્ટના સવારના 3થી 4 કલાકની વચ્ચે ચંદ્રયાન-2નું ટ્રાન્સ લૂનર ઇંસર્શન કરવામાં આવશે. એટલે કે ચંદ્રયાન-2 (chandrayaan-2) ને ચંદ્ર તરફ જનારી લાંબી કક્ષામાં નાખવામાં આવશે.
22 જુલાઇનાં લૉન્ચિંગ બાદથી જ ચંદ્રનાં દક્ષિણ ધ્રુવ સુધી પહોંચવા માટે ચંદ્રયાન-2ની 48 દિવસની યાત્રા શરૂ થઇ ચૂકી છે. લોન્ચિંગના 16.23 મિનીટ બાદ ચંદ્રયાન-2 પૃથ્વીથી અંદાજ 170 કિમીની ઉંચાઇ પર જીએસએલવી-એમકે 3 રૉકેટથી અલગ થઇને પૃથ્વીની કક્ષામાં ચક્કર લગાવી રહ્યું હતું. ઇસરો વૈજ્ઞાનિકોએ ચંદ્રયાન-2નાં લોન્ચિંગને લઇ ખૂબ ફેરફાર કર્યા હતાં.
#ISRO
Fifth earth bound orbit raising maneuver for #Chandrayaan2 spacecraft has been performed today (August 6, 2019) at 1504 hrs (IST) as planned.
આ પહેલા ચંદ્રયાન-2ની કક્ષાઓમાં કરવામાં આવેલા ફેરફારઃ
2 ઓગસ્ટના બપોરનાં 3 વાગીને 27 મિનીટ પર ચંદ્રયાન-2ની પેરિજી 277 કિમી અને એપોજી 89,472 કિમી કરી દેવામાં આવી.
29 જુલાઇનાં બપોરનાં 2:30 વાગ્યાથી 3:30 વાગ્યાની વચ્ચે ચંદ્રયાન-2ની પેરિજી 276 કિમી અને એપોજી 71,792 કિમી કરી દેવામાં આવી.
25-26 જુલાઇ દરમ્યાનની રાત્રીનાં 1:08 વાગ્યો ચંદ્રયાન-2ની પેરિજી 251 કિમી અને એપોજી 54,829 કિમી કરી દેવામાં આવી હતી.
24 જુલાઇના બપોરનાં 2:52 વાગ્યાથી પેરિજી 230 કિમી અને એપોજી 45,163 કિમી કરવામાં આવી હતી.
ચંદ્રયાન-2ના 48 દિવસની યાત્રાનાં જુદા-જુદા પડાવઃ
ચંદ્રયાન-2 અંતરિક્ષ યાન 22 જુલાઇથી લઇને 6 ઓગસ્ટ સુધી પૃથ્વીની ચારે તરફ ચક્કર લગાવશે. ત્યાર બાદ 14 ઓગસ્ટથી 20 ઓગસ્ટ સુધી ચંદ્રની તરફ જનારી લાંબી કક્ષામાં યાત્રા કરશે. 20 ઓગસ્ટનાં જ આ ચંદ્રની કક્ષામાં પહોંચશે. ત્યાર બાદ 11 દિવસ એટલે કે 31 ઓગસ્ટ સુધી ચંદ્રની ચારે તરફ ચક્કર લગાવશે. પછી 1 સપ્ટેમ્બરના વિક્રમ લૈંડર ઓર્બિટરથી અલગ થઇ જશે અને ચંદ્રનાં દક્ષિણીન ધ્રુવની તરફ યાત્રા શરૂ કરશે. 5 દિવસની યાત્રા બાદ 6 સપ્ટેમ્બરના વિક્રમ લૈંડર ચંદ્રનાં દક્ષિણી ધ્રુવ પર લેન્ડિંગ કરશે. લેન્ડિંગના અંદાજે 4 કલાક બાદ રોવર પ્રજ્ઞાન લેન્ડરથી નીકળી ચંદ્રની સપાટી પર વિભિન્ન પ્રયોગ કરવા માટે ઉતરશે.