મિશન ચંદ્રમા પર નિકળેલા ઇસરોના ચંદ્રયાન -2 એ પૃથ્વીની ભ્રમણકક્ષા છોડી દીધી છે, ઇસરોના જણાવ્યા મુજબ જે બુધવારે સવારે આશરે 3.30 વાગ્યાની આસપાસ અમે એક નોંધપાત્ર ફેરફાર કર્યો, જેને ટ્રાન્સ-લ્યુનર ઇન્જેક્શન કહેવામાં આવે છે.
#ISRO
Today (August 14, 2019) after the Trans Lunar Insertion (TLI) maneuver operation, #Chandrayaan2 will depart from Earth's orbit and move towards the Moon. pic.twitter.com/k2zjvOBUE6
આ સમય દરમિયાન, ચંદ્રયાન -2 તેની ભ્રમણકક્ષા છોડીને તેના લક્ષ્ય ચંદ્ર તરફ આગળ વધ્યું. 20 ઓગસ્ટના રોજ ચંદ્રની કક્ષામાં પ્રવેશ્યાના લગભગ 18 દિવસ પછી, એટલે કે 7 સપ્ટેમ્બરે, ચંદ્રયાન -2 ચંદ્રની સપાટી પર ઉતરશે.
ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) ના ચેરમેન ડો. સિવને તાજેતરમાં જ નિવેદન આપતા કહ્યું કે, 3850 કિલો વજન ધરાવતા ચંદ્રયાનને 22 જુલાઇના રોજ લોન્ચ કરવામાં આવ્યું છે અને તે 7 સપ્ટેમ્બરના રોજ ચંદ્રમા સુધી પહોંચશે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, ચંદ્રયાન-2 ના લોન્ચ બાદ અમે 5 વખત તેની સાથે પ્રયોગ કર્યો. હવે ચંદ્રયાન-2 ધરતીની ચારે તરફની પરીક્રમા લગાવી રહ્યું છે.
ISRO (Indian Space Research Organisation): Today (August 14, 2019) after the Trans Lunar Insertion (TLI) maneuver operation, #Chandrayaan2 will depart from Earth's orbit and move towards the Moon. pic.twitter.com/JWXppWhNr5
હવે ચંદ્રયાન-2 ધરતીની કક્ષા છોડીને ચંદ્ર તરફ આગળ વધી રહ્યું છે. 20 ઓગસ્ટના રોજ તે ચંદ્રનની કક્ષામાં પ્રવેશ કરશે. હવે ચંદ્રયાનના લૂનર ઓર્બિટ ઇંસર્શન થશે. ત્યારબાદ અનેક નવા પ્રયોગ થશે અને 7 સપ્ટેમ્બરે ચંદ્રયાન ચંદ્રમાની દક્ષિણી ધ્રુવ પર ઉતરશે.