ઈઝરાયેલના વડાપ્રધાન નફતાલી બેનેટ કોરોના સંક્રમિત થયા છે. જો કે, તેઓ એવાં સમયે કોરોના સંક્રમિત થયાં છે કે જ્યારે તેઓ 5 દિવસ બાદ ભારતની મુલાકાતે આવવાના છે.
ઈઝરાયેલના વડાપ્રધાન નફતાલી બેનેટ કોરોના સંક્રમિત
નફતાલીની 3 એપ્રિલથી 5 એપ્રિલ સુધી ભારતની મુલાકાતે
તાજેતરમાં જ અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકનને પણ મળ્યા હતાં
નફતાલીની 3 એપ્રિલથી 5 એપ્રિલ સુધી ભારતની મુલાકાતે આવવાના છે. નફ્તાલીના કાર્યાલય તરફથી એક નિવેદન પણ જારી કરવામાં આવ્યું હતું કે, ઇઝરાયેલના પીએમ સ્વસ્થ છે. તેઓ તેમનું કામ ચાલુ રાખશે. જો કે, તેઓએ પોતાની જાતને ક્વોરન્ટાઈન કરી લીધી છે. તેઓ ઘરેથી જ સંપૂર્ણ કામકાજ સંભાળી રહ્યાં છે. નફ્તાલી તાજેતરમાં જ અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકનને પણ મળ્યા હતાં.
નફતાલી બેનેટ 3-5 એપ્રિલે ભારતની મુલાકાતે આવી રહ્યાં છે
ઈઝરાયેલના પીએમ નફતાલી બેનેટ 3-5 એપ્રિલે ભારતની મુલાકાતે આવી રહ્યાં છે. આ તેમની ભારતની પ્રથમ સત્તાવાર મુલાકાત હશે. આ દરમિયાન બંને દેશો વચ્ચે ઈનોવેશન અને ટેક્નોલોજી, સાયબર સિક્યુરિટી, એગ્રીકલ્ચર અને ક્લાઈમેટ ચેન્જ સહિતના તમામ મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થશે. જો કે, હવે નફતાલીના કોરોના સંક્રમિત થયા બાદ આ પ્રવાસ પર સંકટ મંડરાવા લાગ્યું છે. જો કે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
ઇઝરાયેલના વડાપ્રધાનને PM મોદીએ આપ્યું હતું આમંત્રણ
નફ્તાલી બેનેટ ભારતમાં રાજદ્વારી સંબંધોની સ્થાપનાની 30મી વર્ષગાંઠ પર ભારતની મુલાકાતે આવી રહ્યાં છે. તમને જણાવી દઇએ કે, ઇઝરાયેલના વડાપ્રધાનને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આમંત્રણ આપ્યું હતું. બંને નેતાઓની પહેલી મુલાકાત ગયા ઓક્ટોબરમાં ગ્લાસગોમાં યુનાઈટેડ નેશન્સ ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સ (COP-26) માં થઈ હતી. જ્યારે પીએમ મોદીએ પીએમ બેનેટને ભારતની સત્તાવાર મુલાકાત માટે આમંત્રણ આપ્યું હતું.