ફિલિસ્તાની વિસ્તાર (Palestinian territories)ને લઈને આપેલા આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ કોર્ટના ચૂકાદા બાદ ઈઝરાયલ ભારત પાસે મદદની આશા લગાવી રહ્યું છે. ઈઝરાયલ સતત ભારતને કોર્ટના નિર્ણયની વિરુદ્ધ ઉભા રહેવા પર ભાર મુકી રહ્યું છે. જો કે હાલમાં પશ્ચિમી એશિયામાં મોટા પરિવર્તનોની વચ્ચે પોતાનો રસ્તો શોધી રહેલું ભારત બન્ને પક્ષને લઈને કઈ પણ કહેવાથી બચી રહ્યું છે. ઈઝરાયલ ભારત તરફથી સકારાત્મક પ્રતિક્રિયા મળવાનો અંદાજ લગાવી રહ્યું છે.
નેત્યન્યાહૂએ હાલમાં જ પીએમ મોદીને પોતાના સારા મિત્ર ગણાવ્યા હતા
ભારતનો નિર્ણય નિર્ણય કાશ્મીર અને બીજા મુદ્દા પર પણ અસર કરી શકે
ભારત કોર્ટના આદેશ અને નિર્ણયો પર કોઈ પ્રતિક્રિયા આપવા ઈચ્છતું નથી
નેત્યન્યાહૂએ હાલમાં જ પીએમ મોદીને પોતાના સારા મિત્ર ગણાવ્યા હતા
અંગ્રેજી અખબારની રિપોર્ટ અનુસાર ઈઝરાયલના પ્રધાનમંત્રી બેન્ઝામિન નેતન્યાહૂએ પીએમ નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. તે આ પત્રના માધ્યમથી ભારત પાસે નિર્ણયની વિરુદ્ધ ઊભા રહેવા માટે માંગ કરી રહ્યા છે. સાથે ઈઝરાયલના ICCના ન્યાય અને સામાન્ય જ્ઞાન પર હુમલો રોકવાનો એક સંદેશ મોકલવા ઈચ્છે છે. ખાસ વાત એ છે કે નેત્યન્યાહૂએ હાલમાં જ પીએમ મોદીને પોતાના સારા મિત્ર ગણાવ્યા હતા.
ભારત કોર્ટના આદેશ અને નિર્ણયો પર કોઈ પ્રતિક્રિયા આપવા ઈચ્છતું નથી
ઈઝરાયલએ ICCના નિર્ણય આવવાના 2 દિવસ બાદ ભારતને પત્ર લખ્યો હતો. ત્યારે દિલ્હીએ હજું સુધી આ સંબંધમાં કોઈ જવાબ આપ્યો નથી. એક ન્યૂઝ પેપરના સૂત્રોના જણાવ્યાનુંસાર ભારતે કુટનીતિના માધ્યમોના માર્ફતે એ સ્પષ્ટ કરી દીધુ છે કે કોર્ટના આદેશ અને નિર્ણયો પર કોઈ પ્રતિક્રિયા આપવા ઈચ્છતું નથી. કેમ કે રોમ સંવિધિનું સભ્ય નથી. જો કે ઈઝરાયલ પણ આ સંવિધિનું સભ્ય નથી.
ભારતનો નિર્ણય નિર્ણય કાશ્મીર અને બીજા મુદ્દા પર પણ અસર કરી શકે છે
ઈઝરાયલ ભારત તરફથી સકારાત્મક પ્રતિક્રિયાની આશા કરી રહ્યું છે. ખાસ રીતે ત્યારે જ્યારે નિર્ણય કાશ્મીર અને બીજા મુદ્દા પર પણ અસર કરી શકે છે. ઈઝરાયલે લખ્યું છે કે આપણી આંખો બંધ કરી લેવાનો મતલબ એ નથી કે કોર્ટ છે જ નહીં. ખાસ વાત એ છે કે ICC ની સ્થાપના પ્રક્રિયામાં સક્રિય રુપે ભાગ લેવા ભારતે રોમ સંવિધિ માનવાથી બચી રહ્યુ છે. હકિકતમાં ભારતને એ વાતનો ડર છે કે ICC કાશ્મીર અને ઉત્તર પૂર્વ જેવા મામલામાં પોતાની ન્યાય પ્રક્રિયા ચાલી રહી છે. જે આંતરિક મામલો છે.