ભારત-ઈઝરાયેલ રાજદ્વારી સંબંધોની સ્થાપનાના 30 વર્ષ પૂર્ણ થયા છે. PM મોદીના આમંત્રણ પર ઇઝરાયેલના વડા પ્રધાન નફ્તાલી બેનેટ આવતા મહિને ભારતની મુલાકાત લેશે.
ભારત-ઈઝરાયેલ રાજદ્વારી સંબંધોની સ્થાપનાના 30 વર્ષ
ઇઝરાયેલના PM નફ્તાલી બેનેટ ભારત આવશે
PM modi નું આમંત્રણ સ્વીકાર્યું
ભારત-ઈઝરાયેલ રાજદ્વારી સંબંધોની સ્થાપનાના 30 વર્ષ પૂર્ણ થયા છે. બંને દેશો વચ્ચેના સંબંધોની સ્થાપનાની 30મી વર્ષગાંઠ નિમિત્તે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર ઇઝરાયેલના વડા પ્રધાન નફ્તાલી બેનેટ આવતા મહિને એટલે કે એપ્રિલની શરૂઆતમાં ભારતની મુલાકાત લેશે. અગાઉ બંને નેતાઓ વચ્ચેની પ્રથમ મુલાકાત ગયા વર્ષે ઓક્ટોબરમાં ગ્લાસગોમાં સંયુક્ત રાષ્ટ્ર ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સ (COP26) ના સમયે થઈ હતી.
બેનેટની પ્રથમ સત્તાવાર મુલાકાત
ઇઝરાયેલના PM કાર્યાલય દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝ મુજબ, નફ્તાલી બેનેટ 2 એપ્રિલ, 2022 ના રોજ ભારતની તેમની પોતાની પ્રથમ સત્તાવાર મુલાકાત કરશે.
PM મોદીનું આમંત્રણ સ્વીકાર્યું
બંને નેતાઓ વચ્ચેની પ્રથમ મુલાકાત ગયા વર્ષે ઓક્ટોબરમાં ગ્લાસગોમાં સંયુક્ત રાષ્ટ્ર ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સ (COP26) ના સમયે થઈ હતી. તે દરમિયાન વડાપ્રધાન મોદીએ વડાપ્રધાન બેનેટને ભારતની સત્તાવાર મુલાકાત માટે આમંત્રણ આપ્યું હતું. આ મુલાકાત બંને દેશો અને નેતાઓ વચ્ચેના મહત્વપૂર્ણ સંબંધોને મજબૂત બનાવશે.
બંને દેશોના સંબંધો થશે મજબૂત
એક પ્રેસ રીલીઝ અનુસાર મુલાકાતનો હેતુ બંને દેશો વચ્ચેના વ્યૂહાત્મક જોડાણને આગળ વધારવા અને મજબૂત કરવાનો અને દ્વિપક્ષીય સંબંધોને વિસ્તારવાનો છે. આ સિવાય બંને નેતાઓ નવીનતા, અર્થતંત્ર, સંશોધન અને વિકાસ, કૃષિ સહિત વિવિધ ક્ષેત્રોમાં સહકારને મજબૂત કરવા પર ચર્ચા કરશે.
ઇઝરાયેલી વડાપ્રધાન બેનેટ તેમની મુલાકાત દરમિયાન ભારતના વડાપ્રધાન મોદી અને અન્ય વરિષ્ઠ સરકારી અધિકારીઓ સાથે મુલાકાત કરશે. આ સાથે દેશના યહૂદી સમુદાયના લોકોને પણ મળશે.
ભરતની પ્રથમ મુલાકાત
વડા પ્રધાન નફતાલી બેનેટે જણાવ્યું હતું કે, "મારા મિત્ર વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર ભારતની મારી પ્રથમ સત્તાવાર મુલાકાતનો મને આનંદ છે. અમે બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવાનું ચાલુ રાખીશું. અને તેનું ઐતિહાસિક મહત્વ છે.
બે અનન્ય સંસ્કૃતિઓ - ભારતીય સંસ્કૃતિ અને યહૂદી સંસ્કૃતિ - વચ્ચેના સંબંધો ઊંડા છે, અને અમે તેની સરાહના કરવા માટે અને અર્થપૂર્ણ સહકાર માટે તેના પર વિશ્વાસ કરીએ છીએ.
ઘણી બધી વસ્તુઓ છે જે આપણે ભારતીયો પાસેથી શીખી શકીએ છીએ, અને તે જ આપણે કરવાનો પ્રયાસ કરીએ છીએ. સાથે મળીને આપણે વિસ્તરણ કરીશું. નવીનતા અને ટેકનોલોજી, સુરક્ષા અને સાયબરથી લઈને કૃષિ અને આબોહવા પરિવર્તન જેવા ક્ષેત્રોમાં અમારો સહકાર છે."