ઈઝરાયલમાં રહેતા લોકો રોકેટમારાના કારણે સૂઈ પણ નથી શકતા, જોકે હાલમાં ત્યાં રહેતા તમામ ગુજરાતીઓ સુરક્ષિત છે.
ઈઝરાયેલમાં તમામ ગુજરાતીઓ સુરક્ષિત, રોકેટમારા વચ્ચે બંકરમાં રહે છે તમામ લોકો
રાજકોટના આનંદ ચૌહાણે ઈઝરાયેલથી કરી વાત
ઈઝરાયેલ સરકાર કરે છે લોકોની સુરક્ષાઃઆનંદ ચૌહાણ
રોકેટ મારાને કારણે સુઇ શકાતું નથીઃ આનંદ ચૌહાણ
ગાજા પટ્ટી પર આવેલા શહેરોમાં રહેતા ગુજરાતીઓ ભયમાં
ઘણા દિવસથી યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ઈઝરાયલ પર હમાસ જેને ઈઝરાયલ દ્વારા આતંકવાદી સંગઠન જાહેર કરવામાં આવ્યું છે તે હમાસ દ્વારા અત્યારે સુધી હજારો રોકેટ છોડવાના દાવા છે. જોકે ઈઝરાયલ પાસે એવી ટેકનોલોજી અને ડિફેન્સ સિસ્ટમ છે જેની મદદથી તે આઆ રોકેટથી પોતાના નાગરિકોના જીવ બચાવી શકે છે. છતાં ઈઝરાયલના ઘણા વિસ્તારોમાં નુકસાન તથા ભારતીય મહિલા સહિત અમુક નાગરિકોના મોતના સમાચાર પણ સામે આવ્યા છે. ઈઝરાયલમાં સારી એવી સંખ્યામાં ભારતીયો પણ રહે છે ત્યારે રાજકોટના યુવાને ઈઝરાયલથી ગ્રાઉન રિયાલિટી વિષે VTV પર વ્યથા જણાવી છે.
રોકેટ મારાને કારણે સુઇ શકાતું નથીઃ આનંદ ચૌહાણ
રાજકોટના આનંદ ચૌહાણ પોતાના પરિવાર સાથે ઈઝરાયલમાં વસવાટ કરે છે. ઈઝરાયલના બેરસેવા શહેરમાં પરિસ્થિતિ મુદ્દે તેમણે VTV સાથે વાતચીતમાં કહ્યું કે ઈઝરાયલમાં ગુજરાતીઑ સુરક્ષિત છે પણ સતત રોકેટમારો હમાસ દ્વારા કરવામાં આવી રહ્યો છે. રોકેટના કારણે રાત્રે ઊંઘી પણ નથી શકાતું. આનંદ ચૌહાણે કહ્યું કે લોકો રાત્રે સ્ટ્રોંગ રૂમમાં સૂવા જાય છે અને બંકરમાં હોવા છતાં લોકોમાં ભયનો માહોલ રહે છે. આનંદ ચૌહાણે કહ્યું કે આખી રાત સાયરનો વાગે અને રોકેટ પડતાં હોય એટલે બાળકોમાં પણ ભયનો માહોલ છે પરંતુ આઈરૉન ડોમથી સુરક્ષા મળી રહે છે.
પોલીસ સતત લોકો સાથે સંપર્કમાં રહે છેઃ આનંદ ચૌહાણ
ઈઝરાયલની ડિફેન્સ સિસ્ટમ કેટલી એડવાંન્સ છે તે આખું વિશ્વ જાણે છે ત્યારે આનંદે જણાવ્યું કે આ પરિસ્થિતિમાં પોલીસ સતત લોકોના સંપર્કમાં રહે છે તથા સરકાર પણ લોકોની સુરક્ષાનું ધ્યાન રાખે છે.