ઈઝરાયલની નવી સરકાર ભારતની સાથે રણનીતિક સંબંધોથી આગળ વધવા માટે કામ કરશે.
લૈપિડે ભારતની સાથે રણનીતિક સંબંધોને આગળ વધારવાની વાત કહી
જયશંકરના અભિનંદન સંદેશના જવાબમાં લેપિડે ટ્વીટ કરી
જયશંકરે યાયર લેપિડને તેમની નિયુક્તિ પર અભિનંદન પાછવ્યા
લૈપિડે ભારતની સાથે રણનીતિક સંબંધોને આગળ વધારવાની વાત કહી
ઈઝરાયલના વૈકલ્પિક પ્રધાનમંત્રી અને વિદેશ મંત્રી યૈર લૈપિડે સોમવારે કહ્યું કે નવી સરકાર ભારતની સાથે રણનીતિક સંબંધોથી આગળ વધવા માટે કામ કરશે. નવા વિદેશ મંત્રીના આ નિવેદનને મહત્વનું મનાઈ રહ્યું છે. કેમ કે ભારત રશિયા બાદ ઈઝરાયલ સૌથી મોટા રક્ષા ઉપકરણોનું ખરીદાર છે. બેન્ઝામિન નેતન્યાહૂએ 12 વર્ષના કાર્યકાળને ખતમ કરતા નેફ્તાલી બેનેટે રવિવારે પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા છે. એ બાદ વિદેશ મંત્રીનો કાર્યભાર સંભાળનાર લૈપિડે ભારતની સાથે રણનીતિક સંબંધોને આગળ વધારવાની વાત કહી છે.
I look forward to working together to advance the strategic relations between our countries and hope to welcome you to Israel soon. https://t.co/bwUztVrvbM
— יאיר לפיד - Yair Lapid🟠 (@yairlapid) June 14, 2021
જયશંકરના અભિનંદન સંદેશના જવાબમાં લેપિડે ટ્વીટ કરી
વિદેશ મંત્રી એસ. જયશંકરના અભિનંદન સંદેશના જવાબમાં લેપિડે ટ્વીટ કરી. હું બન્ને દેશોની વચ્ચે રણનીતિક સંબંધોને આગળ વધારવાની દિશામાં સાથે કામ કરવાની આશા વ્યક્ત કરુ છું અને આશા છે. જલ્દી ઈઝરાયલ તમારુ સ્વાગત કરશે. જયશંકરે આની પહેલા એક ટ્વીટ કરી પોતાના સમકક્ષને અભિનંદન પાઠવ્યા હતા.
Congratulate APM & FM @yairlapid of Israel on his appointment. Look forward to working closely together to further advance our multifaceted strategic partnership.
જયશંકરે યાયર લેપિડને તેમની નિયુક્તિ પર અભિનંદન પાછવ્યા
એસ. જયશંકરે લખ્યુ હતુ કે ઈઝરાયલના વૈકલ્પિક પ્રધાનમંત્રી અને વિદેશ મંત્રી યાયર લેપિડને તેમની નિયુક્તિ પર અભિનંદન પાછવ્યા. પોતાની બહુઆયામી રણનીતિક ભાગીદારી અને વધુ આગળ લઈ જવા માટે મળીને કામ કરવા માટે તત્પર છે.
યેશ એતિડ પાર્ટીના પ્રમુખ લેપિડ સત્તા ભાગીદારી સમજૂતિ હેઠળ સપ્ટેમ્બર 2023માં નેફ્તાલી બેનેટ પ્રધાનમંત્રી પદની જવાબદારી સંભાળશે અને કાર્યકાળ પુરો થવા પર 2 વર્ષ માટે આ પદ પર રહશે.