ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ એક દિવસની મુલાકાત પર ભારત આવશે. ઇઝરાયલના પીએમ નેતન્યાહુ 9 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. ન્યૂઝ એજન્સી પીટીઆઇ મુજબ, ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ કેટલાક કલાક માટે જ ભારત આવશે.
એમણે અહીં પીએમ મોદી સાથે ખાસ મુલાકાત કરવા આવી રહ્યા છે. બેન્જામિન નેતન્યાહૂ હાલમાં જ ઇઝરાઇલમાં સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર વડાપ્રધાન બન્યા છે. આ પહેલા આ કીર્તિમાન દેશના સંસ્થાપક રહેલા ડેવિડ બેન ગુરિયનના નામે હતો. ઇઝરાયલને અસ્તિત્વમાં આવે 25,981 દિવસ થયા છે. જેમા આજ સુધીના પોતાના કાર્યકાળમાં નેતન્યાહૂ 4873 દિવસો સુધી દેશના વડાપ્રધાન પદે રહ્યા છે.
નેતન્યાહૂને પાંચમી વાર માટે આ વર્ષે વડાપ્રધાન ચૂંટવામાં આવ્યા પરંતુ સરકાર બનાવવામાં અસમર્થ રહેવાને પગલે એમણે ફરી ચૂંટણીમાં જવાનો નિર્ણય લીધો. નેતન્યાહૂ વર્તમાનમાં ભ્રષ્ટાચારને લઇને સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. અને તેમના રાજીનામાની માંગ કરવામાં આવી રહી છે. વડાપ્રધાને પોતાના ઉપર લગાવેલા તમામ આરોપોથી ઇનકાર કરતા તેને રાજનીતિથી પ્રેરિત બતાવ્યા.