ઇઝરાયલના પ્રધાનમંત્રી બેંજામિન નેતન્યાહૂએ દેશમાં કોરોના વાયરસના વધતા કેસના કારણે ત્રણ અઠવાડિયા સુધી લોકડાઉનની જાહેરાત કરી છે. આ દરમિયાન સંક્રમણને રોકવા માટે સ્કૂલ અને દુકાનો બંધ રાખવામાં આવશે. શુક્રવારથી શરૂ થવા જઇ રહેલા લોકડાઉન દરમિયાન ઇઝરાયલી લોકોના આવન-જાવન પર પ્રતિબંધ રહેશે.
ઇઝરાયલના પ્રધાનમંત્રી બેંજામિન નેતન્યાહૂએ દેશમાં કોરોના વાયરસના વધતા કેસના કારણે ત્રણ અઠવાડિયા સુધી લોકડાઉનની જાહેરાત કરી છે. આ દરમિયાન સંક્રમણને રોકવા માટે સ્કૂલ અને દુકાનો બંધ રાખવામાં આવશે. શુક્રવારથી શરૂ થવા જઇ રહેલા લોકડાઉન દરમિયાન ઇઝરાયલી લોકોના આવન-જાવન પર પ્રતિબંધ રહેશે.
નેતન્યાહૂએ કહ્યું કે અમારુ લક્ષ્ય કોરોના વાયરસને રોકવાનું તેમજ સંક્રમણની સંખ્યામાં ઘટાડો કરવાનું છે. હું જાણું છું કે આ પગલાની આપણે બધાએ મોટી કિંમત ચુકવવી પડશે. આ રજાઓ નથી કે લોકો તેનો ઉપયોગ કરી શકશે.
ઇઝરાયલમાં કોરોના વાયરસના વધતા કહેર વચ્ચે આ બીજી વખત લોકડાઉન લગાવામાં આવ્યું છે. લોકડાઉનના કારણે કોરોના સંક્રમણની ટકાવારી ભલે ઓછી થઇ જતી હોય પરંતુ દેશની અર્થવ્યવસ્થા અને રોજગારી પર તેની ગંભીર અસર પડે છે.
બીજી તરફ દેશમાં લોકડાઉન લગાવાનો વિરોધ પણ શરૂ થઇ ગયો છે. ઇઝરાયલના એક પ્રમુખ મંત્રીએ કોરોના વાયરસના વધતા કેસના કારણે યહૂદીના નવાવર્ષના પહેલા અઠવાડિયામાં રાષ્ટ્રવ્યાપી લોકડાઉન લગાવાના સરકારના નિર્ણયનો વિરોધ કરતાં રવિવારે રાજીનામું આપી દીધું.
ઇઝરાયલમાં મહામારીની શરૂઆત દરમિયાન આરોગ્ય મંત્રી રેહલા અને હવે આવાસ મંત્રી યાકોવ લિત્જમેને અપેક્ષિત લોકડાઉનના નિર્ણયની ટીકા કરી અને કહ્યું કે આ લોકડાઉનથી લોકોને ઘણી મુશ્કેલી પડશે.
મંત્રીએ કહ્યું કે મારુ હૃદય યહુદીઓ સાથે છે વર્ષમાં એકવાર ઉપસાનાગૃહ પર આવે છે અને લોકડાઉનના કારણે આ વખતે આવું થઇ શકશે નહીં. દેશમાં પ્રતિદિવસ કોરોનાવાયરસ નવ રેકોર્ડ બનાવી રહ્યું છે. ઇઝરાયલમાં કોરોના મહામારીમાં અત્યાર સુધીમાં 1,50,000થી વધારે કેસ સામે આવી ચૂક્યાં છે અને 1,100થી વધારે લોકોના મૃત્યું થયા છે.