પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફને મોટી રાહત મળી છે. ઇસ્લામાબાદ હાઇકોર્ટે નવાઝ શરીફ સહિત એમની પુત્રી મરિયમ નવાઝ શરીફ અને જમાઇની સજા રદ કરી દીધી છે. એવેનફીલ્ડ કેસમાં દોષિત માન્યા બાદ પાકિસ્તાનની સામાન્ય ચૂંટણી પહેલા નવાઝ શરીફ અને એમના પરિવારને જેલમાં મોકલી દેવાયા હતા.
બુધવારે ઇસ્લામાબાદ હાઇકોર્ટની બેંચમાં સામેલ અતરહ મિનાલ્લાહ અને જસ્ટિસ હસન ઔરંગઝેબે પોતાના નિર્ણયમાં નવાઝ શરીફની સજાને રદ કરવાનો આદેશ આપ્યો. આ પહેલા કોર્ટે આ સમસ્યા પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખી લીધો હતો.
જણાવી દઇએ રે એવેનફીલ્ડ પ્રોપર્ટીઝ કેસમાં જવાબદારી કોર્ટે ગત 6 જુલાઇએ નવાઝ શરીફસ મરિયમ નવાઝ શરીફ અને મરિયમના પતિ કેપ્ટન સફદરને દોષિત માન્યા હતા. નવાઝ શરીફના પરિવાર પર 4 લક્ઝરી ફ્લેટના માલિકાનો હક આરોપ છે. પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી પહેલા નવાઝ શરીફે સરેન્ડર કર્યું હતું ત્યારબાદથી એ રાવલપિંડીની આદિયાલા જેલમાં બંધ છે. નવાઝને 10 મરિયમ નવાઝને 7 અને કેપ્ટન સફદરને 1 વર્ષની સજા સંભળાવવામાં આવી હતી. હવે ઇસ્લામાબાદ હાઇકોર્ટે આ સજાને રદ કરી દીધી છે.