શાહરૂખ ખાન અને દીપીકા પદુકોણની ફેમસ ફિલ્મ પઠાણનો વિવિદ શમવાનું નામ નથી લઈ રહ્યો. હવે મધ્ય પ્રદેશ ઉલેમા બોર્ડે પઠાણનો બહિષ્કાર કર્યો છે અને તેને રિલીઝ ન કરવાની માંગ કરી છે.
'પઠાણ' ફિલ્મ પર વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો
મધ્ય પ્રદેશ ઉલેમા બોર્ડે પઠાણનો બહિષ્કાર કર્યો
મુસ્લિમ સમુદાય પણ નારાઝ
શાહરૂખ ખાન અને દીપીકા પદુકોણને ફિલ્મ પઠાણનો વિવાદ વધી રહ્યો છે. એક તરફ હિંદુ સંગઠનો ફિલ્મના ગીત બેશરમ રંગ પર પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે તો મધ્યપ્રદેશમાં હવે ઉલેમા બોર્ડ પણ ફિલ્મને લઈને નારાજગી વ્યક્ત કરી છે. મધ્યપ્રદેશ ઉલેમા બોર્ડ ફિલ્મ પઠાણનો બહિષ્કાર કરતા તેને રિલીઝ ન કરવાની માંગ કરી છે.
મુસ્લિમ સમુદાય પણ નારાઝ
મધ્યપ્રદેશ ઉલેમા બોર્ડની પ્રમુખ સૈયદ અનસ અલીએ કહ્યું પઠાણ નામની ફિલ્મ બની છે. જેમાં શાહરૂખ ખાન હીરો છે. લોકો તેને જુએ છે. તેની જેમ. પરંતું અમને ઘણી જગ્યાએથી કોલ અને ફરિયાદો મળી છે અને તેઓએ આ ફિલ્મની અંદર અશ્લીલતા ફેલાવવામાં આવી છે અને ઈસ્લામનો ખોટો પ્રચાર કરવામાં આવ્યો છે તેવો રોષ વ્યક્ત કર્યો છે.
તેણે આગળ કહ્યું ઓલ ઈન્ડિયા મુસ્લિક ફેસ્ટિવલ કમિટએ આ ફિલ્મને લઈને સ્ટેન્ડી લીધો છે અને ફિલ્મનો બહિષ્કાર કર્યો છે. અમે સરકારના લોકોને, જવાનોને પણ આ ફિલ્મ ન જોવાની અપીલ કરીએ છીએ. તેણે કહ્યું છે કે આ ફિલ્મ રિલીઝ ન થવી જોઈએ. તો ઓલ ઈન્ડિયા ઉલેમા બોર્ડ પણ આની ભલામણ કરે છે અને તેમની સાથે ઉભું છે.
અલીએ કહ્યું, આ અમારો અધિકાર છે કે જો કોઈ અમારા ઈસ્માલ, અમારા ધર્મને આ રીતે રજૂ કરે છે, તો અમે તેની સાથે સમાધાન નહી કરીએ. જો કોઈ ઈમ્લામને ખોટી રીતે રજૂ કરે છે, તો તે આપણા ધર્મની સાચી રીત રજૂ કરવાની જવાબદારી આપણી છે.
ઉલેમા બોર્ડનાં અધ્યક્ષે ફિલ્મને રીલીઝ ન કરવા કહ્યું
સૈયદ અનસ અલીએ વધુમાં કહ્યું- હું સેન્સર બોર્ડને ભારપૂર્વક અપીલ કરું છું અને ભારતના તમામ થિયેટર લોકોને કહેવા માંગુ છું કે તમે આ ફિલ્મને ક્યાંય પણ દેખાડશો નહી., કારણ કે તેનાથી ખોટો સંદેશ જશે. શાંતિ ડહોળાશે અને આ દેશના તમામ મુસ્લિમોની ભાવનાઓને ઠેસ પહોંચશે અને અમારી મજાક ઉડાવવામાં આવશે. હું દરેકને અપીલ કરું છું કે આ ફિલ્મ બિલકુલ ન જુઓ.
'તે પોતાનું નામ શાહરૂખ ખાન કહે છે અને શાહરૂખ ખાન કહીને પઠાણ ફિલ્મો બનાવે છે. આવી ફિલ્મો ઈસ્લામ અને મુસ્લિમોની મજાક ઉડાવવા માટે બનાવવામાં આવે છે, તેનો પણ વિરોધ થવો જોઈએ. પઠાણ ખૂબ જ આદરણીય સમુદાય છે, પરંતુ ફિલ્મમાં તેને ખૂબ જ ખોટી રીતે રજૂ કરવામાં આવ્યો છે. એમપી ઉલેમા બોર્ડની પ્રમુખ સૈયદ અનસ અલીએ પણ હજ કમિટીને શાહરૂખ ખાનને ઉમરાહ પર જવા માટે પણ વિઝા ન આપવાની ભલામણ કરી છે.
પઠાણ કયા દિવસે રીલીઝ થશે?
શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ પઠાણ 25 જાન્યુઆરી, 2023ના રોજ રિલીઝ થવાની છે. પરંતુ ફિલ્મ બેશરમ રંગનું પહેલું ગીત બહાર આવતા જ ફિલ્મ પર હોબાળો શરૂ થઈ ગયો હતો. હિંદુ સંગઠનો બાદ હવે મુસ્લિમ સંગઠનોએ પણ ફિલ્મ પઠાણનો વિરોધ શરૂ કર્યો છે. ફિલ્મને લઈને સોશિયલ મીડિયા પર બહિષ્કારનો ટ્રેન્ડ પણ ચાલી રહ્યો છે. હવે આ વિવાદો ફિલ્મની કમાણી પર કેટલી અસર કરે છે, તે જોવાનું રહેશે.