ઈસ્કોન ઈંડિયાના ઉપાધ્યક્ષ રાધારમણ દાસે હોળીની પૂર્વ સંધ્યાએ બાંગ્લાદેશના ઢાકામાં ઈસ્કોન મંદિર પર તોડફોડની ઘટનાની નિંદા કરતા તેને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું છે.
બાંગ્લાદેશમાં ઈસ્કોન ટેમ્પલ પર હુમલો
200થી વધારે લોકોએ તોડફોડ કરી
ઈસ્કોન ઈંડિયાએ કર્યા ગંભીર સવાલ
ઈસ્કોન ઈંડિયાના ઉપાધ્યક્ષ રાધારમણ દાસે હોળીની પૂર્વ સંધ્યાએ બાંગ્લાદેશના ઢાકામાં ઈસ્કોન મંદિર પર તોડફોડની ઘટનાની નિંદા કરતા તેને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું છે. દાસે ટ્વિટર પર લખ્યું છે કે, ડોલ યાત્રા અને હોળી સમારંભની પૂર્વ સંધ્યા પર આ અત્યંત દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે.
It's very very unfortunate incident on the eve of Dol Yatra & Holi celebrations. Just few days ago, United Nations passed a resolution declaring 15th March as International day to combat Islamophobia. We are surprised that same United Nations.....1/3 https://t.co/aMci2GdQdv
— Radharamn Das राधारमण दास (@RadharamnDas) March 18, 2022
સંયુક્ત રાષ્ટ્ર પર સવાલ
તેમણે લખ્યું છે કે, મને આશ્ચર્ય છે કે, સંયુક્ત રાષ્ટ્ર હજારો અસહાય બાંગ્લાદેશી અને પાકિસ્તાની અલ્પસંખ્યકોની પીડા માટે કેમ મૌન છે. આટલા બધાં હિન્દુ અલ્પસંખ્યકો પોતાનો જીવ, સંપત્તિ ખોઈ દીધી છે. પણ અફસોસની વાત છે કે સંયુક્ત રાષ્ટ્ર ચૂપ છે.
અલ્પસંખ્યકોની પીડા પર ચૂપ
તેમણે લખ્યું છે કે, થોડા દિવસ પહેલા સંયુક્ત રાષ્ટ્રે ઈસ્લામોફોબિયાના નિવારણ માટે 15 માર્ચે આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે ઘોષિત કરવાનો પ્રસ્તાવ પાસ કર્યો. અમને આશ્ચર્ય થાય છે કે, આ જ સંયુક્ત રાષ્ટ્ર અસહાય બાંગ્લાદેશી અને પાકિસ્તાની અલ્પસંખ્યકોની પીડિતા પ્રત્યે મૌન છે. તેમણે એવું પણ લખ્યું છે કે, TheKashmirFilesએ હિન્દુઓની જગાડ્યા છે, ફરીથી સુઈ જતાં નહીં.
Requesting @MEAIndia to take this up strongly with Bangladesh. This growing intolerance towards Hindu minority and places of worship is shameful. https://t.co/kzfVO5YFIQ
આ બાજૂ રાજ્યસભા સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ ભારાતીય વિદેશ મંત્રાલયે આ મુદ્દે બાંગ્લાદેશની સાથે મજબૂતી સાથે સાથ આપવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે, બાંગ્લાદેશમાં હિન્દુ અલ્પસંખ્યક અને પૂજા સ્થળો પ્રત્યે વધતી અસહિષ્ણુતા શરમજનક છે.
200 જેટલા લોકએ કર્યો હુમલો
આપને જણાવી દઈએ કે, ઢાકામાં વારીમાં 222 લાલ મોહન સાહા સ્ટ્રીટ પર ઈસ્કોન રાધાકાંત મંદિર પર 200થી વધારે લોકોએ હુમલો કર્યો હતો. તોડફોડ કરી અને લૂંટફાટ કરી હતી. રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર હુમલામાં સુમંત્ર ચંદ્ર શ્રવણ, નિહાર હલદર, રાજીવ ભદ્ર સહિત કેટલાય લોકો ઘાયલ થઈ ગયા છે. કથિત રીતે ભીડનું નેતૃત્વ હાઝી શફીઉલ્લાહે કર્યું હતું.