બાંગ્લાદેશના નોઆખળી જિલ્લામાં શુક્રવારે હિન્દુ મંદિર પર થયેલ સંદિગ્ધ હુમલામાં એક માણસનું મૃત્યુ થયું હોવાના અહેવાલ છે.
બાંગ્લાદેશના નોઆખળી જિલ્લામાં શુક્રવારે હિન્દુ મંદિર પર થયેલ સંદિગ્ધ હુમલામાં એક માણસનું મૃત્યુ થયું હોવાના અહેવાલ છે. આશરે 200 કરતાં વધારે માણસોના ટોળાંએ ઇસ્કોન મંદિર પર હુમલો કરતાં હિંસામાં એક માણસનું મૃત્યુ થયું હતું. આ માહિતી ઇસ્કોનના ટ્વિટર હેન્ડલે પોતે જ આપી હતી અને સાથે તેમણે ફોટોઝ પણ શેર કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશમાં આજકાલ આ પ્રકારની ઘટનાઑ દિવસે દિવસે વધી રહી છે.
નોઆખલીમાં આવેલા ISKCON ના મંદિરમાં થયેલ હુમલામાં તેના એક સદસ્યનું મૃત્યુ થયું હોવાના સમાચાર સામે આવ્યા છે. આ વ્યક્તિનું નામ પાર્થ દાસ હોવાની પ્રથમિક માહિતી મળી હતી. તેનું શરીર તળાવ નજીક મળી આવ્યું હતું અને 200 કરતાં વધારે માણસોના હિંસક ટોળાં દ્વારા તેની ઘાતકી હત્યા થઈ હોવાના સમાચાર છે.
It is with great grief that we share the news of a ISKCON member, Partha Das, who was brutally killed yesterday by a mob of over 200 people. His body was found in a pond next to the temple.
We call on the Govt of Bangladesh for immediate action in this regard. https://t.co/BLwqGsN36h
ઇસ્કોન સમુદાયના સત્તાવાર ટ્વિટર હેન્ડલે જણાવ્યું હતું કે ''અમે ઇસ્કોનના સભ્ય પાર્થ દાસના મૃત્યુના સમાચાર અત્યંત દુઃખ સાથે શેર કરીએ છીએ, જેની ગઈકાલે 200 થી વધુ લોકોના ટોળાએ નિર્દયતાથી હત્યા કરી હતી. તેનો મૃતદેહ મંદિરની બાજુના તળાવમાંથી મળી આવ્યો હતો. અમે બાંગ્લાદેશ સરકારને અપીલ કરીએ છીએ કે આ અંગે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે.
ઇસ્કોને બાંગ્લાદેશ સરકારને તાત્કાલિક પગલાં લેવા, તમામ હિન્દુઓની સલામતી સુનિશ્ચિત કરવા અને ગુનેગારોને સજા તથા ભોગ બનેલા લોકોને ન્યાય અપાવવા વિનંતી કરી હતી.
બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીના દ્વારા હિન્દુ મંદિરો પર હુમલો કરનારાઓનો પકડવામાં આવશે અને સજા કરવામાં આવશે તેવી ચેતવણી છતાં અને કોમી હિંસાની ઘટનાઓ બાદ કડક કાર્યવાહીની ખાતરી હોવા છતાં મંદિર પર કથિત હુમલો થયો હતો.
હિન્દુ મંદિરો પર હુમલાના અહેવાલો બાદ, બાંગ્લાદેશ સરકારે દેશમાં દુર્ગા પૂજાની ઉજવણીને સરળ બનાવવા માટે સુરક્ષા વધારી છે. સુરક્ષાની સ્થિતિએ અધિકારીઓને દેશભરમાં અર્ધલશ્કરી દળો અને પોલીસની ટુકડી તૈનાત કરવા માટે પણ કહેવામાં આવ્યું છે.