યુક્રેન પર રશિયાએ મચાવેલી તબાહી આજે આખી દુનિયા નિહાળી રહી છે. ચારેબાજૂ ગોળીબાર, મિસાઈલ અને બ્લાસ્ટના અવાજ સંભળાઈ રહ્યા છે. દેશમાં ખાવા પીવાની તંગી શરૂ થઈ ગઈ છે. જો કે મદદ માટે પણ કેટલાય લોકો આગળ આવી રહ્યા છે.
યુક્રેન પર આક્રમણ બાદ જનજીવન ખોરવાયું
ખાવા પીવા માટે લોકોનો રઝળપાટ
ઈસ્કોને લોકો માટે સેવા શરૂ કરી
યુક્રેન પર રશિયાએ મચાવેલી તબાહી આજે આખી દુનિયા નિહાળી રહી છે. ચારેબાજૂ ગોળીબાર, મિસાઈલ અને બ્લાસ્ટના અવાજ સંભળાઈ રહ્યા છે. દેશમાં ખાવા પીવાની તંગી શરૂ થઈ ગઈ છે. ત્યારે આ તમામ સંકટની વચ્ચે ભગવાન શ્રીકૃષ્ણના ભક્ત યુક્રેનના લોકોના પાલનહાર બનીને પ્રગટ થયા છે.
क्यूँ ज़रूरी है मठ एवं मन्दिर ये इससे पता चल रहा है। हमारी वैदिक व्यवस्थाएँ बिना किसी कारण के निर्मित नहीं की गई थी। आपका दिया हुआ एक रुपया कहाँ दिया है ये इससे संतोषप्रद जवाब नहीं हो सकता। भगवान के चरणों में अर्पित करते हैं ये आपका विवेक है। @RadharamnDas@iskconpic.twitter.com/r5IWgU46gd
ઈસ્કોનના ઉપાધ્યક્ષ રાધારમણ દાસે ટ્વિટ કરીને કહ્યું છે કે, રશિયા, યુક્રેન, પોલેન્ડ, હંગેરી સહિત આજૂબાજૂના દેશોમાં ઈસ્કોનના ઘણા બધાં મંદિર છે. યુક્રેનના લોકોની મદદ માટે ઈસ્કોને તમામ મંદિરોમાં ફ્રીમાં ભોજન પાણી અને શરણની વ્યવસ્થા શરૂ કરી દીધી છે. એકલા યુક્રેનમાં ઈસ્કોનના 54 મંદિર છે. ત્યારે આવા સમયે ભૂખ્યા તરસ્યા પરેશાન લોકોને મંદિરોનું લોકેશન મોકલીને તેમને ત્યાં આવી જવાની સલાહ આપવામાં આવે છે.
54 ISKCON मंदिर यूक्रेन में जरूरतमंद लोगो को खाना खिला रहे है,
રાધારમણ દાસે કહ્યું કે, યુક્રેનથી ભાગીને હંગેરીમાં શરણ લેવા પહોંચેલા હજારો લોકો માટે લંગર શરૂ કરવામાં આવ્યું છે. ત્યાં આવી રહેલા લોકોને તમામ પ્રકારની મદદ આપવામાં આવી રહી છે. તેમને ખાવા પીવાની વ્યવસ્થા સાથે રહેવા માટે જગ્યા પણ આપવામાં આવી છે. હંગેરીમાં બનેલા ભારતીય દૂતાવાસે ઈસ્કોનના આ કામની ખૂબ પ્રશંસા કરી છે.
ISKCON devotees are serving the Indian students who are arriving from Ukraine to board flight back to India from Hungary.
ઈસ્કોને ટ્વિટ કરીને કહ્યું છે કે, જ્યારે જીવનમાં આપને લિંબૂ મળે તો, તેની ખટાશથી ગભરાવાની જગ્યાએ તેનું લિંબૂ પાણી બનાવી નાખો. સનાતન ધર્મે કીવમાં આ ઈસ્કોન ભક્તોને આ શિખવાડેલું છે. તેમણે જે પણ શિખ્યું છે, તે આ કપરાં સમયમાં લાગૂ કરી રહ્યા છે. સમગ્ર યુક્રેનમાં ઈસ્કોન મંદિર જરૂરિયાતમંદ લોકોની સેવા કરવા માટે તત્પર છે. અમારા મંદિરોમાં આપનું સ્વાગત છે.
ઈસ્કોને કહ્યું કે, ચેચન્યા યુદ્ધ (1995) દરમિયાન પણ ઈસ્કોન ભક્તોએ પોતાના જીવની પરવાહ કર્યા વગર લોકોની સેવા કરી હતી. અમારા એક ભક્તની સેવા દરમિયાન ગોળી વાગવાથી મોત પણ થયું હતું. ભક્તોએ 850,000 રશિયાઈ, ચેચેન, જોર્જિયાઈ, અર્મેનિયાઈ અને યુદ્ધથી પીડિત લોકોને મફતમાં ભોજન આપવાની મદદ કરી હતી.