મધ્યપ્રદેશને પહેલી વાર રણજી ટ્રોફી અપાવનાર ઈશ્વર પાંડેએ ક્રિકેટથી સન્યાસ લીધો છે અને કહ્યું છે કે ધોનીએ જો ભરોસો રાખ્યો હોત, તો મારી કરિયર અલગ જ હોત.
ઈશ્વર પાંડેએ ક્રિકેટથી લીધો સન્યાસ
ધોની પાસે તકની આશા હતી - ઈશ્વર પાંડે
સોશિયલ મીડિયા દ્વારા આપી જાણકારી
ઈશ્વર પાંડેએ ક્રિકેટથી લીધો સન્યાસ
મધ્યપ્રદેશ ટીમને પહેલી વાર રણજી ટ્રોફી અપાવનાર સ્ટાર ફાસ્ટ બોલર ઈશ્વર પાંડેએ ઇન્ટરનેશનલ અને ઘરેલૂ ક્રિકેટથી સન્યાસ લીધો છે. આ જાણકારી ઈશ્વરે ખુદ સોશિયલ મીડિયા દ્વારા આપી છે. સાથે જ પૂર્વ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીને લઈને મોટા નિવેદનો આપ્યા છે.
33 વર્ષના ઈશ્વર પાંડેને બે વાર ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ સીરિઝ માટે ભારતીય ટીમમાં પસંદ કરવામાં આવ્યા હતા, પણ તેમને ડેબ્યૂ કરવાની તક મળી નહી. તેમના મનમાં અત્યારે પણ આ વાત ખટકે છે. ઈશ્વરે સન્યાસ બાદ મીડિયાને કહ્યું કે જો ધોની તક આપત, તો આજે તેમની કરિયર કંઇક અલગ જ હોત.
આ જ વર્ષે મધ્યપ્રદેશને જીતાડ્યો પહેલો રણજી ખિતાબ
સન્યાસની ઘોષણા કરનાર ઈશ્વર પાંડેએ રોડ સેફટી સહીત અન્ય ઇન્ટરનેશનલ લીગમાં પણ પોતાનો ખેલ બતાવ્યો છે. તેમણે આ જ વર્ષે જૂનમાં રણજી ટ્રોફીમાં મધ્યપ્રદેશ ટીમને ચેમ્પિયન બનાવી હતી. આ મધ્યપ્રદેશ ટીમનો પહેલો રણજી ખિતાબ રહ્યો છે.
ઈશ્વર પાંડેએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી. આ સાથે જ તેમણે નિવૃત્તિનું પણ એલાન કર્યું. આ લાંબા પત્રમાં બીસીસીઆઈ અને મધ્યપ્રદેશ ક્રિકેટથી લઈને આઈપીએલ ફ્રેન્ચાઈઝીસને પણ ધન્યવાદ કર્યા. સાથે જ જણાવ્યું કે તેમણે વિરાટ કોહલી, યુવરાજ સિંહ, ધોની, રવીન્દ્ર જાડેજા અને સુરેશ રૈના જેવા દિગ્ગજો સાથે ડ્રેસિંગ રૂમ શેર કર્યો છે, જેના પર તેમને ગર્વ છે.
ચેન્નાઈ ટીમ માટે બે સીઝન રમ્યા
ઈશ્વરે ઘરેલૂ, આઈપીએલ સહીત ઘણી લીગમાં સારું પ્રદર્શન કર્યું છે. તેઓ મધ્યપ્રદેશ, સેન્ટ્રલ ઝોન, ઇન્ડિયા એ, ચેન્નાઈ સુપર કિંગ્સ, પુના વોરીયર્સ વગેરે ટીમો માટે રમ્યા છે. તેઓ ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે બે આઈપીએલ સીઝન સુધી જોડાયેલા રહ્યા હતા. આ દરમિયાન ધોની અને કોચ સ્ટીફન ફ્લેમિંગનું માર્ગદર્શન પણ તેમને મળ્યું હતું.
ધોની પાસે એક તક મળવાની આશા હતી
સન્યાસ બાદ ઈશ્વરે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે મહેન્દ્ર સિંહ ધોનીએ જો તેમના પર થોડો ભરોસો રાખ્યો હોત, તો તેમની કરીયર કંઈક અલગ જ હોત. ઈશ્વરે ખુલીને વાત કરી કે જ્યારે તેમની ઉંમર ૨૩-૨૪ વર્ષ હતી, ત્યારે તેમની ફિટનેસ પણ શાનદાર હતી અને તેઓ સારું પ્રદર્શન પણ કરી રહ્યા હતા. બસ ધોની પાસેથી તક મળવાની આશા હતી.
ઈશ્વર પાંડેએ કરિયરમાં કુલ ૭૫ ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે, જેમાં ૨૫.૯૨ની શાનદાર સરેરાશે ૨૬૩ વિકેટ પણ લીધી છે. તેમણે કરિયરમાં કુલ ૭૧ ટી૨૦ મેચ રમી છે. આમાંથી તેમણે 68 વિકેટ લીધી છે. ઈશ્વર પાંડેએ IPLમાં કુલ ૨૫ મેચ રમી છે, જેમાંથી ૧૮ વિકેટ તેમના નામે છે.