પંજાબમાં જે રીતના પરિણામ આવી રહ્યા છે, તે જોતા આમ આદમી પાર્ટી હવે પૂર્ણ રાજ્યમાં પહેલી વાર સત્તાનું રાજસિંહાસન સંભાળવા જઈ રહી છે. જેના કારણે ગુજરાતમાં પણ આપને નવી આશા જાગી છે.
પંજાબમાં આપની ધમાકેદાર એન્ટ્રી
પૂર્ણ રાજ્યમાં સત્તા સંભાળવા જઈ રહી છે પાર્ટી
ગુજરાત આપમાં પણ આશા જાગી
પંજાબમાં જે રીતના પરિણામ આવી રહ્યા છે, તે જોતા આમ આદમી પાર્ટી હવે પૂર્ણ રાજ્યમાં પહેલી વાર સત્તાનું રાજસિંહાસન સંભાળવા જઈ રહ્યું છે. આમ આદમી પાર્ટીની દિલ્હીમાં સત્તા છે, પણ હવે એક સંપૂર્ણ રાજ્યમાં આપ પાર્ટી સત્તા સંભાળવા જઈ રહી છે, ત્યારે આ બાબતની ખુશી સમગ્ર આપ પાર્ટીમાં દેખાઈ રહી છે. ગુજરાત આપ પાર્ટીએ રાજીપો વ્યક્ત કર્યો છે. ત્યાર આ બાબતને લઈને ગુજરાત આપના નેતા ઈશુદાન ગઢવીએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, જનતા હવે અમને પણ મોકો આપશે અને અમે પણ કરીને બતાવીશું, પછી જોજો અહીં ભાજપ કે કોંગ્રેસનું કોઈ નામ નહીં લે. કારણ કે, એ લોકોએ અત્યાર સુધી રાજકારણ કર્યું છે, અમે રાજનીતિ કરવા નહીં પણ રાજનીતિ બદલવા આવ્યા છીએ.આમ આદમી પાર્ટીનું મોડલ, જનતાનું મોડલ જ્યાં એન્ટર થાય છે, ત્યાં બધી પાર્ટીના ભુક્કા નિકળી જાય છે.
ઈશુદાન ગઢવીએ કહી આ વાત
ઈશુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી છોડીને જતાં લોકોથી કંઈ ફરક પડવાનો નથી, કારણ કે લાખો લોકોએ આપ પાર્ટી પર વિશ્વાસ મુક્યો છે, તેનો વિશ્વાસ એ નેતાઓ તોડી રહ્યા છે. જો કે, હવે જનતાને વધુ એક વિકલ્પ મળ્યો છે, ગુજરાતમાં આપ પાર્ટી વન સાઈડ ચાલશે, અને તે જનતાની જીત હશે, આમ આદમી પાર્ટીની નહીં. વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની લડાઈ સ્પષ્ટ પણે ભાજપ સામે જ હશે, કોંગ્રેસ તો ખતમ થઈ ગઈ છે. કોંગ્રેસની બે રાજ્યોમાં સરકાર છે, અમારે પણ બે રાજ્યોમાં સરકાર છે. પંજાબની જનતાએ આપ પાર્ટીને મોકો આપ્યો છે, હવે ગુજરાતનો વારો છે.
ગુજરાતમાં પણ જનતા અમને મોકો આપશે: AAP નેતા ઈસુદાન ગઢવી
પંજાબમાં AAPની જીત પર ગુજરાત AAP નેતા ઈસુદાન ગઢવીએ કહ્યું કે, આ આમ આદમીની જીત, અરવિંદ કેજરીવાના મોડલને લોકોએ સ્વીકાર્યું. કોંગ્રેસ તો ખતમ થઈ ગઈ છે, ગુજરાતમાં અમારી લડાઈ ભાજપ સામે છે. ગુજરાતમાં પણ જનતા અમને મોકો આપશે.
ગોપાલ ઈટાલિયાનું નિવેદન
આપ નેતા ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું હતું કે, આપનું ઝાડૂ પંજાબમાં ફરી વળ્યું છે. દિલ્હી મોડલને પંજાબે પણ સ્વિકાર્યું છે, હવે ગુજરાતનો વારો છે. ગુજરાતમાં પણ આપ જીતશે.
દિલ્હીના નેતા મનીષ સિસોદિયાએ કહ્યું કે, અમે ગોવા, ઉત્તરાખંડ અને યુપીમાં ઉમેદવારો ઉભા રાખ્યા હતા, પરંતુ ક્યાંક પંજાબ પર ફોકસ હતું. ધીરે ધીરે આ રાજ્યોના લોકો પણ અમારી પાર્ટીમાં વિશ્વાસ કરવા લાગશે. પંજાબે કેજરીવાલના શાસન મોડલને તક આપી છે. આજે તેમના શાસનનું મોડેલ રાષ્ટ્રીય સ્તરે સ્થાપિત થયું છે. આ 'આમ આદમી' (સામાન્ય માણસ)ની જીત છે.