અમદાવાદઃ બહુચર્ચિત ઈશરત જહાં એન્કાઉન્ટર કેસ મામલે આરોપી એન.કે.અમીને કોર્ટમાં ડિસ્ચાર્જ કરી છે. ત્યારે આ મામલે કોર્ટે આજે ચુકાદો સંભળાવે તેવી શક્યતા છે. એન.કે.અમીને CBI તપાસ બોગસ હોવાની રજૂઆત કરી છે.
તો કેસના અન્ય એક આરોપી આઈ.કે.ચૌહાણને સાક્ષી બનાવ્યાની પણ રજૂઆત કરી છે. અમીને કહ્યું છે કે એન્કાઉન્ટર બોગસ ન હતું. સીટનો તપાસ રિપોર્ટ કોર્ટમાં રજૂ ન થયાની પણ અમીને દલીલ કરી છે.
એક્સપર્ટ ઓપિનિયન કોર્ટમાં રજુ નથી કરવામાં આવ્યા. હવે બન્ને પક્ષોની દલીલ પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે કોર્ટ ચુકાદો સંભળાવે તેવી સંભાવના છે.
એન.કે.અમીનની ભૂમિકા શું?
ઈશરત જહાં કેસમાં અમીન આરોપી છે. 2004માં ઈશરતનું એન્કાઉન્ટર થયું હતું. CBIએ એન.કે.અમીનને બનાવ્યા આરોપી હતા. એન્કાઉન્ટર સમયે અમીન હાજર હોવાની CBIની દલીલ હતી. અમીને CBIની તપાસને બોગસ ગણાવી હતી. એન્કાઉન્ટર પણ બોગસ ન હોવાની અમીન દલીલ કરી ચૂક્યા છે.
અમીનને પુરાવાના અભાવે મુંબઈ CBI કોર્ટે દોષમુક્ત જાહેર કર્યા. દોષમુક્ત જાહેર કરાયા બાદ અમીને ડિસ્ચાર્જ અરજી કરી હતી. અમીનની ડિસ્ચાર્જ અરજીનો CBIએ અગાઉ વિરોધ કરી ચૂકી છે.