ભારતના ફાસ્ટ બોલર ઇશાંત શર્માએ આજ સુધીમાં ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. જ્યારે હવે બીજો એક રેકોર્ડ બનવાની તૈયારીમાં છે. ઇશાંતે ટેસ્ટ મેચમાં અત્યાર સુધીમાં 297 વિકેટ પોતાના નામેં કરી છે. જો 3 વિકેટ હજુ લઈ લે તો ઇશાંત શર્મા એલિટ બોલર્સ ક્લબમાં સામેલ થઈ જશે.
ઇશાંત 300 વિકેટથી 3 જ વિકેટ દુર
કાલની મેચમાં ઇશાંત હીરો બની શકે છે
ટેસ્ટ ક્રિકેટમાં તેના નામે હાલ ૨૯૭ વિકેટ નોંધાયેલી છે
ભારતનો ફાસ્ટ બોલર ઈશાંત શર્મા આવતી કાલે જ્યારે ક્રાઇસ્ટચર્ચમાં ન્યૂઝીલેન્ડ સામે બીજી ટેસ્ટ મેચ રમવા મેદાનમાં ઊતરશે ત્યારે તેની કોશિશ એલિડ બોલર્સની ક્લબમાં સામેલ થવા પર રહેશે. વિરાટ કોહલીના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયા વેલિંગ્ટનમાં ૧૦ વિકેટે પ્રથમ ટેસ્ટ મેચ હારી ગઈ હતી. એ ટેસ્ટમાં એકમાત્ર ઈશાંત શર્મા જ પ્રભાવશાળી પ્રદર્શન કરવામાં સફળ રહ્યો હતો. તેણે પ્રથમ ઇનિંગ્સમાં પાંચ વિકેટ ઝડપી હતી.
ઈશાંત શર્મા એલિટ બોલર્સ ક્લબમાં સામેલ થવાથી માત્ર ત્રણ વિકેટ દૂર છે. ટેસ્ટ ક્રિકેટમાં તેના નામે હાલ ૨૯૭ વિકેટ નોંધાયેલી છે અને આવતી કાલથી શરૂ થતી બીજી ટેસ્ટમાં જો તે ત્રણ વિકેટ ઝડપી લેશે તો તે આવું કરનારો છઠ્ઠો ભારતીય બોલર બની જશે. કપિલ દેવ અને ઝહીર ખાન બાદ આ સિદ્ધિ હાંસલ કરનારો ઈશાંત છઠો ભારતીય બોલર હશે. ૩૦૦થી વધુ વિકેટ ઝડપનારા ભારતીયોમાં કપિલ દેવ (૪૩૪), ઝહીર ખાન (૩૧૧), અનિલ કુંબલે (૬૧૯), હરભજનસિંહ (૪૧૭) અને આર.અશ્વિન (૩૬૫) પણ સામેલ છે.
ઈશાંત ૩૦૦ વિકેટ પૂરી કરવા સાથે જ વધુ એક રેકોર્ડ પોતાના નામે નોંધાવી દેશે. તે સૌથી ધીમી ગતિએ આ સિદ્ધિ હાંસલ કરનારો બોલર બનશે. આવતી કાલે ઈશાંત પોતાની ૯૮મી ટેસ્ટ રમશે અને તે આ મામલામાં ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન ડેનિયલ વેટોરીનો રેકોર્ડ તોડી નાખશે. વિટોરીએ ૯૪ ટેસ્ટમાં ૩૦૦ વિકેટ પૂરી કરી હતી.